Webdunia - Bharat's app for daily news and videos

Install App

સારી ઊંઘ જોઈતી હોય તો દવા નહી આ ઉપાય અજમાવો

Updated: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (12:22 IST)
સારી ઉંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઉંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલી થઈ શકે છે.  આનુ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. ખાવા પીવામાં અનિમિતતા, કામમાં વ્યસ્ત રહેવુ કે પછી માનસિક પરેશાની પણ હોઈ શકે છે.  અનેક વાર તો ઉંઘની દવાઓ ખાવાથી પણ આરોગ્યને ખૂબ નુકશાન થઈ શકે છે. જો તમને સારી ઉંઘ નથી આવી રહી તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેને અપનાવીને તમે ભરપૂર ઉંઘ લઈ શકો છો. 
 
ઘરેલુ ઉપચાર 
 
1.  રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઉંઘ આવશે 
2. ઉંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો 
3. રાત્રે ક હા કે કોફી ન પીશો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઉંઘ નથી આવતી. 
4. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો. 
5. સારી ઉંઘ માટે શવાસન, વજ્રાસન, ભ્રામરી પ્રાણાયમ એવા આસન છે જેને નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. 
6. રાત્રે ગરમ દૂધનુ સેવન કરો અને તનાવથી મુક્ત રહો. 
7. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુલેઠી, આમળા, જટામાસી, ખુરાસાની, અજમો આ બધાને 50 50 ગ્રામ લઈને ઝીણું ચૂરણ બનાવી લો. રાત્રે સૂતા પહેલા 5 ગ્રામ  ચૂરણ દૂધ સાથે લો.  એક અઠવાડિયામાં આની અસર દેખાશે અને તમને ઊંઘ આવશે. 
8. સલાદ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીને સેકીને તેને વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઉંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે. 
9. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. 
10. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સુવુ ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ.  તેનાથી તમે આરામથી સૂઈ શકો છો. 

વધુ જુઓ..

શું તમે આધારમાં તમારું નામ ફક્ત બે વાર બદલી શકો છો? ત્રીજી વખત તમારે શું કરવું જોઈએ? જાણો

માફિયા અતીક અહમદના નાના પુત્રનુ મોત, ડિવાઈડર સાથે અથડાઈ કાર, જેલમાં કેદ મોટાભાઈને મળવા જઈ રહ્યો હતો અબાન

પતિથી અલગ રહેતી મહિલાએ બે પ્રેમીઓ સાથે રાખ્યા સંબંધો, પૂર્વ પ્રેમીને નવા સંબંધની ખબર પડતા થઈ હત્યાની સનસનીખેજ સાજિશ

"અસ્થિઓ પણ તમે જ વિસર્જિત કરી દેજો..." પિતાની અંતિમ વિદાયમાં પણ દીકરીઓ ન આવી, વીડિયો કોલથી પૂર્ણ કરી તમામ વિધિ

1000 રૂપિયાથી પણ ઓછી કિમંતનો ફોન થઈ ગયો છે લોંચ, Type-C ચાર્જિંગ પોર્ટ અને Wireless FM નો મળશે સપોર્ટ, જાણો બધા ફીચર્સ

વધુ જુઓ..

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ