Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ અસ્થમા દિવસ - કોણે કોણે અસ્થમાં થઈ શકે છે

મંગળવાર, 3 મે 2016 (13:20 IST)
વધતા જતાં વાહનો અને ઉદ્યોગોના ધુમાડાને લીધે હવામાં પ્રદુષિત બની છે. આ ઉપરાંત ધૂળ-રજકણો શરીર માટે કેટલાં હાનિકારક છે તેનાથી લોકો હજુયે બેપરવાહ રહ્યાં છે. વાસ્તવમાં ધૂળ-રજકણો જ નહીં, વાહનના ધુમાડો , ફુલની પરાગરજ અને પરફયુમથી દમના રોગને આમંત્રણ મળે છે. આજે દુનિયાભરમાં વિશ્વ અસ્થમા દિનની ઉજવણી કરાશે . આજે ભારતમાં ઓક્યુપેશન અસ્થમા વિવિધ વ્યવસાયકારો માટે એક સમસ્યા બની છે કેમ કે, કર્મકાંડી બ્રાહ્મણથી માંડીને ઓફિસ કર્મચારી પણ દમનો ભોગ બની શકે છે તેનું આ કારણ એછેકે, કોઇપણ એવો વ્યવસાય નથી કે જયાં ધૂળ-રજકણ,પ્રદુષિત હવા ન હોય .ભારતમાં આજે એક કરોડથી પણ વધુ લોકો અસ્થમાનો શિકાર છે. દુનિયાભરમાં ૩૦ કરોડ લોકો અસ્થમા પિડિત છે . અસ્થમા હવે વડીલો-વૃધ્ધો સુધી સિમિત નથી બલ્કે બાળકોમાં યે દમની બિમારી ઘર કરી રહી છે. દેશમાં આજે દર એક હજાર પૈકી ૧૪ બાળકો દમથી પિડીત છે. એક હજાર પુરુષો પૈકી ૮-૧૦ પુરુષોને દમની બિમારી છે. ગુજરાતમાં યે અસ્થમાની બિમારી વધી રહી છે. એસોશિએસન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ ગુજરાતના પૂર્વ પ્રમુખે રાજ્યમાં  અસ્થમાના પાંચ લાખથી વધુ દર્દીઓ હોવાનો અંદાજ છે.  જણાવ્યું કે, અસ્થમાનો એટેક વ્યક્તિ માટે જોખમી બની શકે છે.બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધી રહ્યું છે. જો દવાઓ નિયમિત લેવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. લોકોમાં સ્વચ્છ હવાને લઇને જાગૃતિ નથી પરિણામે અસ્થમાના કેસો વધી રહ્યાં છે.વધતા જતા પ્રદૂષણ, જંકફુડ, ફાસ્ટ લાઇફસ્ટાઇલ પણ અસ્થમા માટે કારણભૂત પરિબળો છે. ધુમાડા, પરાગરજ, ધૂળ-રજકણો,મરી-મસાલા- પરફ્યુમની સુગંધને તબીબી ભાષામાં એલાર્જન કહે છે જનાથી અસ્થમા થઇ શકે છે. રોજીદીં કામગીરી અને વિવિધ વ્યવસાયોમાં એલાર્જનને લીધે લોકો અસ્થમાનો ભોગ બને છે. પશુપાલકોને પણ અસ્થમા થાય છે તેનું કારણ એ છેકે, પશુઓના મળમૂળના રજકણો આ રોગને નિમંત્રણ આપે છે.

કયા કયા વ્યવસાયકારોને અસ્થમા થઇ શકે છે

કર્મકાંડી બ્રાહ્મણો: હવનના ધુમાડાથી
શિક્ષકો: ચોકની ડસ્ટથી
ડ્રાઇવરો - ટ્રાફિક પોલીસ:વાહનના ધૂમાડાથી
દરજી: સુતરાઉ કાપડના સ્ટાર્ચથી
સુથાર: લાકડામાંથી ઉડતાં રજકણોથી
બેંક કર્મચારી: પડદા,સોફા, કર્ટેઇનના રજકણોથી
પ્રિન્ટિંગ પ્રેસ - કાપડ પ્રિન્ટીંગ: કલર કેમિકલથી
ખેતમજૂરો : ખેતરમાં વપરાતી જંતુનાશક દવા, ધૂળની ડમરીથી
મરઘાં ઉછેર કેન્દ્ર , પશુપાલકો: પશુ-મરઘાંના મળમૂત્રના રજકણોથી
ગૃહિણીઓ: રસોઇના વધારથી
વાળંદ : વાળ પર ચોંટેલા રજકણોથી
મોચી : પગરખાંની ધૂળથી

ઘણાંને આ વાતની જાણ નહી હોય કે, ભેજયુક્ત વાતાવરણમાં શ્વાસ લેવાનું મુશ્કેલ બની જાય છે.એકકુલર અને એસીમાં ઠંડી હવાને લીધે રૃમ માં ભેજભર્યુ વાતાવરણ છવાય છે. મોસ્ચ્યુરાઇઝ્ડ હવા અસ્થમાના દર્દીઓ માટે નુકશાનકારક છે. તબીબોની સલાહ છેકે , જો એસીનું ફિલ્ટર પણ સાફ ન હોય તેવા સંજોગોમાં ડસ્ટ ઉડે છે જેનાથી પણ દમ થઇ શકે છે.

વધુ જુઓ..

ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં વાવાઝોડા સાથે વરસાદ

મહારાષ્ટ્ર: મુખ્યમંત્રી ફડણવીસની પત્ની અમૃતા ઓટોરિક્ષા ચલાવે છે, આ વાત પ્રકાશમાં આવી - VIDEO

હરિદ્વાર નજીક ડમ્પર ટ્રક અને પેસેન્જર બસ વચ્ચે અથડાતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.

અશ્લીલ વીડિયો બતાવીને બનાવતો હતો શારીરિક સંબંધ, એક દિવસ મહિલા કંટાળી ગઈ; બહાને ઘરે બોલાવી અને પછી.

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ, ટ્રાયલ્સની સેમિફાઇનલમાં આ રેસલર સામે હારી ગઈ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

આગળનો લેખ
Show comments