Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Diabetes Day- શુગરને કંટ્રોલમાં રાખશે આ 4 અનાજ

Updated: ગુરુવાર, 14 નવેમ્બર 2019 (11:21 IST)
આજ કાલ ડાયાબિટીસ એક સામાન્ય  સમસ્યા બની ગઈ છે.  શુગર લેવલ વધવુ કે ઘટવુ બંને આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જો કે આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ જોવા મળી રહી છે. શુવર વધવાથી શરીરના ઓર્ગંસ ડેમેજ થવા ઉપરાંત એ જીવલેણ પર સાબિત થઈ શકે છે.  આવામાં શુગર લેવલ કંટ્રોલમં રાખવુ ખૂબ જરૂરી છે. પણ આ માટે તમારે ઢગલો દવાઓ ખાવાને બદલે કે નવા નવા નુસ્ખા અપનાવવાને બદલે કેટલાક અનાજને તમારા ડાયેટમાં સામેલ કરવા જોઈએ. 
 
સૌ પહેલા જાણીશુ કેટલુ હોવુ જોઈએ શુગર લેવલ 
બ્લડ શુગરનુ ચેકઅપ હંમેશા ખાલી પેટ જ કરાવવુ જોઈએ.  આ માટે તમારે 8 થી 10 કલાક ભૂખ્યા રહેવુ જોઈએ.   બીજી બાજુ ખાલી પેટ બ્લડ શુગર લેવલની સામાન્ય માત્રા 70થી 110 mg/dl હોય છે. અને જમ્યા પછી શુગર લેવલની સામાન્ય માત્રા 140થી 160 MG/dl હોવી જોઈએ. 
 
જો શુગર લેવલ કંટ્રોલમાં ન હોય તો શુ આવે પરિણામ 
શુગર લેવલ બગડતા આંખોની રેટિના પર અસર પડે છે.  જેનાથી તમને ધુંધળુ દેખાવવા માંડે છે.  આ ઉપરાંત તેનાથી કિડની, શરેરની કોશિકાઓ દિલ પર પણ ખરાબ અસર પડે છે. સાથે જ શુગર લેવલ વધવાથી ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. 
 
આજે અમે તમને 4 એવા અનાજ વિશે બતાવીશુ જેને ડાયેટમાં લેવાથી તમારુ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે અને તમે બિલકુલ ફિટ એંડ ફાઈન પણ રહેશો. તો આવો જાણીએ આ અનાજ વિશે 
1. બાજરા મેથી મિસ્સી રોટી - નાસ્તામાં બાજરાની રોટલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ રહેવા ઉપરાંત આ અન્ય બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. આ એ લોકો માટે ખૂબ જ લાભકારી છે જેમનુ બ્લડ શુગર લેવલ હંમેશા વધેલુ રહે છે અને જેમને કૉમ્પલેક્સ કાર્બસની જરૂર હોય છે. 
2 .કંગની દલિયા - ડાયાબિટીસથી પીડિત લોકો માટે આ સૌથી સારુ ઓપ્શન છે. કારણ કે આ લો શુગર ફુડ છે. તમ ચાહો તો તેમા ફળ મિક્સ કરીને તેને ગળ્યુ બનાવી શકો છો. સાથે જ તેમા મિક્સ લોટ્સ સીડ અને કાજુમાં પ્રોટીન અને કૉમ્પલેક્સ કાર્બ્સ હોય છે. જે શુગલ લેવલને કંટ્રોલ કરે છે. 
3. રાગી ઘઉં ડોસા - ભારતીય ઘરમાં બનાવવામાં આવતો સૌથી સારો નાસો છે. રાગે અને ઘઉના ડોસામાં લૉ કેલોરી, ફાઈબર અને પ્રોટીન હોય છે. જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.  જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે માટે આ સારુ ઓપ્શન છે. 
4. જુવાર ખિચડી - જુવાર એક અન્ય પ્રકારનુ મિલેટ છે.  જે ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો માટે ખાવામાં આવતા ખોરાકમાં સારુ માનવામાં આવે છે.  તેમા ઓછી કેલોરીવાળુ શાક જેવી કે તોરી, બેલ પેપર, બેબી કોર્ન વગેરે મળીને બનાવાય છે.  જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે લાભકારી છે. 

વધુ જુઓ..

૧૭ રાજ્યોમાં વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા; દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં આજે હવામાન કેવું રહેશે? આસામમાં પૂરની સ્થિતિ વધુ વણસી

65 હજાર રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે?' અભિજીત દિપકેના પિતા વિશે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો

પીએમ મોદીનું 'ડ્રગ-મુક્ત યુવા - વિકસિત ભારત સંકલ્પ અભિયાન' શરૂ થયું; યુવાનો સાથેની તેમની વાતચીતના મુખ્ય મુદ્દાઓ વાંચો

અમિત શાહને અપશબ્દો કહેવા બદલ મોટી કાર્યવાહી! સોશિયલ મીડિયા પ્રભાવક સામે શૂન્ય એફઆઈઆર નોંધાઈ, કેસ મૈસુર ટ્રાન્સફર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી, ઇડુક્કીમાં ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 ઓગસ્ટ, 2026

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments