Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડોલ્ફિનને દરિયામાં કૂદતી જોવા માટે ભાવનગર જાઓ

Updated: બુધવાર, 2 નવેમ્બર 2016 (15:09 IST)
વિદેશમાં પ્રવાસીઓને આકર્ષવા માટે મોટા એક્વેરીયમ, સ્વિમિંગ પૂલ બનાવવામાં આવે છે અને તેમાં ડોલ્ફિનને રાખવામાં આવે છે, અને તેના શો યોજવામાં આવે છે.  ત્યારે ભાવનગરના દરિયામાં  ડોલ્ફિનની સંખ્યા નોંધપાત્ર રીતે  જોવા મળી રહી છે. ભાવનગરના પ્રવાસન ધામો તરીકે ખ્યાતનામ કુડા, કોળીયાક, ગોપનાથ, ઝાંઝમેર, મહુવા ભવાનીની સામે આવેલા મધદરિયામાં ડોલ્ફિનના જુંડ જોવા મળે છે.  ડોલ્ફિન ફિશ એક સાથે 50-60ના ટોળામાં જ ફરતી રહે છે, તેથી ક્યારેક ઘોઘાની સામે, ક્યારેક અન્ય દરિયા કિનારાના ગામોમાંથી જોવા મળે છે. દરિયાના પાણીમાંથી 15 ફૂટ જેટલી ઉછળે છે અને ઝૂંડમાં જ્યારે ડોલ્ફિન મસ્તીએ ચડે છે ત્યારે વારાફરતી અવારનવાર પાણીમાંથી છલાંગો મારે છે. ડોલ્ફિનની આવી હરકત લોકોમાં ખાસ્સી લોકપ્રિય બને છે. ડોલ્ફિન ઉંડા પાણી ઉપરાંત પાણીની સપાટી પર પણ તરવામાં નિપૂણતા ધરાવે છે. સ્વભાવે પણ તે માયાળુ હોય છે. સામાન્ય રીતે શરમાળ છતા માણસો સાથે સંપૂર્ણ સંવેદના ધરાવતી ડોલ્ફિન મોટા જહાજોના તરંગો દૂરથી પારખી લે છે અને તેથી જ મધદરિયે જહાજો સાથે ડોલ્ફિન ટકરાવાના બનાવો જવલ્લે જ બને છે. શિપિંગ લાઇન સાથે વર્ષોથી સંકળાયેલા જયેશભાઇ સોનપાલના જણાવ્યા પ્રમાણે અલંગમાં અત્યાર સુધીમાં 34 વર્ષના ઇતિહાસમાં 7288 જહાજો ભાંગવા માટે આવી ચૂક્યા છે. પરંતુ આજ દિવસ સુધી જહાજ સાથે કોઇ ડોલ્ફિન અથડાઇ હોય તેવો બનાવ બન્યો નથી અથવા ડોલ્ડિનને કારણે જળ અકસ્માત બન્યા હોય તેવુ સાંભળવામાં આવ્યુ નથી.ભાવનગરના માછીમારો પણ જ્યારે દરિયો ખેડે છે ત્યારે તેઓની જાળમાં ક્યારેય ડોલ્ફિન ફસાઇ ન જાય તેની તકેદારી તેઓ રાખે છે, અને ડોલ્ફિનને તેઓ દોસ્ત માને છે. ભાવનગર જિલ્લાના દરિયા કિનારાના પ્રચલિત પ્રવાસન સ્થળોએ ડોલફીન અંગે વર્ણન કરવામાં આવે છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments