Webdunia - Bharat's app for daily news and videos

Install App

જોધપુરી મરચાંના ભજીયા

Updated: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (14:39 IST)
ભજીયા ઘરે બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બાફેલા બટેટા, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી મરચાંનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
 
હવે બધાં લીલાં મરચાંને સારી રીતે ધોઈ લો અને એક બાજુથી કાપી લો અને જો વધુ બીયા હોય તો કાઢી લો.
 
ત્યાર બાદ એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ મૂકી ગરમ કરવા રાખો. આ પછી એક વાસણમાં એક કપ ચણાનો લોટ, એક ચમચી ગરમ મસાલો, એક ચોથો ચમચો ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું, એક ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ખાવાનો સોડા અને અડધી ચમચી તેલ ઉમેરો. પછી તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને ખીરુ તૈયાર કરો. ધ્યાન રાખો કે ખીરુ બહુ જાડું કે પાતળું પણ ન હોવું જોઈએ. મિકસ એવી રીતે રાખો કે મરચાં પર સરળતાથી એક સ્તર બની શકે. બેટરમાં થોડો મકાઈનો લોટ ઉમેરો જેથી વડા ક્રિસ્પી લાગે.
 
આ પછી બધા મરચામાં તૈયાર સ્ટફિંગ ભરો. સ્ટફ્ડ મરચાંને ગરમ તેલમાં એક પછી એક ચણાના લોટમાં બોળીને કડાઈમાં નાખો. મરચાં લાઈટ બ્રાઉન થઈ જાય એટલે બહાર કાઢી લો. હવે તમારે એક પછી એક બધા પકોડા તૈયાર કરવાના છે. પકોડાને તેલમાં તળતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે બધાં મરચાંને વધુ સખત તળવા ન જોઈએ નહીંતર તેનો સ્વાદ કડવો થઈ શકે છે. પકોડાને મીડીયમ ફ્લેમ પર ફ્રાય કરો જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન થાય.આ પછી મહેમાનોને લીલી કે લાલ ચટણી સાથે પકોડા સર્વ કરો.

Edited By- Monica sahu 
 

વધુ જુઓ..

Kashmir Cloudburst: કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો, 2 લોકોના મોત; સેંકડો લોકોને બચાવાયા

Ayushman Card Online: નવું કાર્ડ બનાવવા અને ડાઉનલોડ કરવા માટેના સરળ સ્ટેપ્સ

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સ આવ્યો, જેના કારણે ઘણા મુસાફરો અને ક્રૂ સભ્યો ઘાયલ થયા. વિમાન ફુકેટથી દિલ્હી જઈ રહ્યું હતું.

પોલીસે અરવિંદ કેજરીવાલની પ્રધાનમંત્રી નિવાસસ્થાન તરફની કૂચને અટકાવી, AAP કાર્યકરોએ ફિરોઝ શાહ રોડ પર ધરણા કર્યા.

યુવાઓને રીલ્સ નહી, નોકરીઓ જોઈએ, કોંગ્રેસે બેરોજગારીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી, શુ આરોપ લગાવ્યો ?

વધુ જુઓ..

'શ્રાવણ થીમ' વડે તમારી કિટ્ટી પાર્ટીને સુપર હિટ બનાવો, આ 3 શ્રેષ્ઠ વિચારો અનુસરો

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments