Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ઉપાય કરવાથી સપનામાં દર્શન આપશે હનુમાનજી

મંગળવાર, 11 જુલાઈ 2017 (20:33 IST)
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે, જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. આવો જ એક ઉપાય એ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને મનોકામના પૂર્તિના આશીર્વાદ આપે છે. આ અનુષ્ઠાન 81 દિવસનો  છે. આ ઉપાય હનુમાન જયંતિના દિવસથી કે પછી મંગળવારથી શરૂ કરશો તો ખાસ ફળ મળે છે. આ ઉપાય કરવા માટે આગળ વાંચો..... 








આગળ વાંચો..... 

સાવધાની  - 
આ ઉપાય કરતી વખતે  બ્રહ્મચર્યનું  પાલન કરવુ  જરૂરી છે. સાથે  જ ક્ષૌર કર્મ જેમ કે - નખ કાપવા, વાળ કે દાઢી કાપવાની મનાઈ છે.  દારૂ અને માંસનુ  સેવન પણ આ ઉપાય કરતી વખતે  કરી શકતા નથી. 

હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે  સવારે સ્નાન વગેરે કર્યા પછી એક લસોટી (લોટો)  જળ લઈને હનુમાનજીના મંદિરમાં જાઈને આ  જળથી હનુમાનજીની મૂર્તિને સ્નાન કરાવો. 
પહેલા દિવસે એક આખો અડદનો દાણો  હનુમાનજીના માથા પર મુકીને 11 પરિક્રમા કરો. 

પરિક્રમા કર્યા પછી તમારી ઈચ્છા હનુમાનજીની સામે કહો અને એ અડદનો દાણો લઈને પરત આવો અને એને  એક જુદા ડબ્બામાં  મુકી દો. 

બીજા દિવસે બે અડદના દાણા .. આમ રોજ એક-એક અડદનો દાણો વધારતા જાવ. અને આ જ રીતે હનુમાનજીની પરિક્રમા કરતા રહો. આવું 41 દિવસ સુધી કરો. 
42મા દિવસથી એક-એક દાણો ઓછો કરતા રહો. જેમ કે 42 દિવસે 40 , 43મા દિવસે 39 અને 81મા દિવસે 1 દાણો. 
81 દિવસનો આ ઉપાય પૂરો થતા હનુમાનજી સપનામાં દર્શન આપે છે અને સાધકની મનોકામના પૂરી થવાના આશીર્વાદ પણ આપે છે. 
આ અનુષ્ઠાનના સમયે જેટલા પણ અડદના  દાણા તમને હનુમાનજી ઉપર ચઢાવ્યા હોય એને નદીમાં પ્રવાહિત કરી દો. 

વધુ જુઓ..

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ટિપ્સ, આ અપનાવી લેશો તો બીમારીથી રહેશો સુરક્ષિત

નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.

Fathers Day 2026- પપ્પાને ખુશ રાખવા માટે કરો આ 5 નાની-નાની વાતો

Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.

અષાઢી બીજ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments