Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayurvedic Tips : કબજિયાત દૂર કરવાની આયુર્વેદિક ટિપ્સ

કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. કબજિયાત થવા પર વ્યક્તિને પેટ સંબધી તકલીફો પણ થાય છે. જેવુ કે પેટ દુ:ખવુ, વ્યવસ્થિત રૂપે તાજગી અનુભવવામાં પરેશાને થવી, શરીરમાંથી મળ સંપૂર્ણ રીતે ન નીકળવો વગેરે. કબજિયાત માટે પ્રભાવશાળે પ્રાકૃતિક ઉપાયો ઉપરાંત આયુર્વેદિક સારવાર દ્વારા પણ કબજિયાત દૂર થઈ શકે છે.

કબજિયાતમાં આયુર્વેદિક નુસ્ખા

કબજિયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે.

કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે.

કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ પરિસ્થિતિમાં એસીડીટી થવાથી અને કબજિયાત ને કારણે ખાંડ અને ઘી ને મિક્સ કરીને ખાલી પેટ ખાવુ જોઈએ.

લીલા શાકભાજીઓ અને ફળો જેવા કે પપૈયુ, દ્રાક્ષ, શેરડી, જામફળ, ટામેટા, બીટ, અંજીર ફળ, પાલકનો રસ કે કાચી પાલક, કિશમિશને પાણીમાં પલાળી ખાવ. રાત્રે મોટી દ્રાક્ષ ખાવાથી કબજિયાત દૂર કરવામાં મદદ મળે છે.

હકીકતમાં પાણી અને પાતળા પદાર્થોની ઉણપ કબજિયાતનું મુખ્ય કારણ છે. પાતળા પદાર્થોની કમીથી મળ આંતરડામાં સૂકાય જાય છે અને મળનો નિકાસ માટે જોર લગાવવું પડે છે, જેથી કબજિયાતના રોગીને ખાંસી થવા માંડે છે.

 
P.R
ડોક્ટર્સ કબજિયાતને દૂર કરવા માટે મોટાભાગે ઈસબગુલ ખાવાની સલાહ આપે છે. ઈસબગુલને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં કે પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ.

ખાવામાં લીલા પાંદડાની શાકભાજી ઉપરાંત રેશેદાર શાકભાજીનું સેવન વિશેષરૂપે કરવુ જોઈએ. જેનાથી શરીરમાં પાતળા પદાર્થોમાં વધારો થાય છે.

ચિકાશવાળા પદાર્થો પણ કબજિયાત દરમિયાન લેવા ફાયદાકારક રહે છે.

ગરમ પાણી અને ગરમ દૂધ કબજિયાત દૂર કરે છે. રાત્રે ગરમ દૂધમાં કેસ્ટનર મતલબ દિવેલ નાખીને પીવુ એ કબજિયાત દૂર કરવાનો અસરકારક ઉપાય છે.

લીંબૂના રસને પાણીમાં નાખીને, દૂધમાં ઘી નાખીને, ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે. સવાર સવારે ગરમ પાણી પીવાથી પણ કબજિયાત દૂર થવામાં ઘણી મદદ મળે છે.

અળસીના બીજનો પાવડર પાણીની સાથે લેવાથી કબજિયાત દૂર થવામાં મદદ મળે છે.

આ રીતે અસરકારક પ્રાકૃતિક ઉપચાર અને આયુર્વેદિક ઉપચારના માધ્યમથી કબજિયાતને સ્થાયી રૂપથી સહેલાઈથી દૂર કરી શકાય છે.

વધુ જુઓ..

ગુજરાતની ભવ્ય સિદ્ધિ: પાટણની 'રાણકી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને એશિયા લેવલે મળ્યો 'ગોલ્ડ મેડલ

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

વધુ જુઓ..

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

આગળનો લેખ
Show comments