Webdunia - Bharat's app for daily news and videos

Install App

First Aid Day બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

Updated: શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (10:19 IST)
બળી ગયાં  કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો 
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ ધાબળો, કે કોઈ મોટા કપડામાં લપેટવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન ઓછું થશે. તો તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીં આપવામાં આવ્યાં છે. 
* શરીર પર બનેલા છાલાને ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ. 
 
* શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો. 
 
* બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો. 
 
* રોગીને પેટ્રોલીયમ જેલી, માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે. 
 
* હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલન પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય.
 
* જ્યારે પણ કોઈ કારણે ત્વચા બળી જાય તો તેના પર ઠંડુ પાણી નાખો જેથી છાલા ન પડી શકે. ત્યારબાદ તમે દાઝેલા સ્થાન પર ઠંડા પાણીના કપડો પલાડીને બાંધી દો. 
 
* પ્રાથમિક ઉપચાર માટે એલોવેરા પણ ખૂબ ઉપયોગી છે. સારા પરિણામ માટે ઘાને પાણી થી ધોયા પછી તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. 
 
* દાઝેલા સ્થાન પર બટાકાનો છાલટા લગાવીને રાખવાથી પણ બળતરા ઓછા થઈ જાય છે અને ઠંડક મળે છે. 
 
* દાઝેલા સ્થાન પર તરત હળદરનું પાણી લગાવાથી પણ દુખાવો ઓછું હોય છે અને આરામ પણ મળે છે. 
 
* મધ પણ એક સારું એંટીબાયોટિક છે. 
 
* દાઝી ગઈ જગ્યા પર ટી બેગ મૂકવાથી પણ ખૂબ રાહત મળે છે. તેના માટે ટી-બેગને ફ્રિજ કે ઠંડા પાણીમાં થોડી વાર મૂકી ઘા પર લગાવો. 
 
 

વધુ જુઓ..

Friendship Day 2026: જાણો ક્યારે અને કેવી રીતે થઈ હતી ફ્રેંડશિપ ડે ની શરૂઆત ? કેવી રીતે મનાવવો જોઈએ ફ્રેંડશિપ ડે

ચંદ્ર સાથે અથડાવા જઈ રહ્યો છે SpaceX નો 'અવારા' રોકેટ, જાણો શું થશે આ ટક્કરનો અંજામ

નીરજ ચોપડાએ સિલ્વર મેડલ જીતવા પર આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - જો હુ નથી તો પણ અમારી પાસે હવે સારા થ્રોઅર છે

રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટની શક્યતા: CM ભુપેન્દ્ર પટેલે SEOC પહોંચી તંત્રની સજ્જતા ચકાસી

તાપીમાં મેઘતાંડવ: ડોલવણમાં 16.73 ઈંચ વરસાદ, 6 નદીઓમાં ઘોડાપૂર વચ્ચે 1300 થી વધુ લોકોનું સ્થળાંતર

વધુ જુઓ..

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

આગળનો લેખ
Show comments