Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટના નીચેના ભાગની ચરબી કેવી રીતે ઓછી કરશો

રવિવાર, 5 માર્ચ 2017 (17:25 IST)
પેટની ચરબી ઘટાડવી સહેલી છે પણ બીજી બાજુ પેટના નીચલા ભગની ચરબી ઘટાડવી થોડી મુશ્કેલ છે. અમારી લાઈફસ્ટાઈલ કંઈક એવી છે કે  અમે ન ઈચ્છવા છતા પણ આપણા શરીરનુ વજન વધતુ જઈ રહ્યુ છે. કેટલીક યુવતીઓનુ સમગ્ર શરીર જોવામાં પાતળુ લાગે છે પણ પેટ ખૂબ વધુ નીકળેલુ દેખાય છે. પણ જ્યારે તમે કિલોભર વજન ઓછુ કરવામાં લાગશો તો બેલી ફેટ આપમેળે જ ઓછુ થઈ જશે. 
 
બેલેંસ ડાયેટ અને રેગુલર એક્સરસાઈઝ કરવાથી તમે તમારુ વજન કંટ્રોલમાં લાવી શકો છો. 
 
અમે તમને કેટલાક એવા ફૂડ બતાવીશુ જેને ખાવાથી તમે તમારા પેટના નીચેની ભાગની ચરબીને ઓછી કરી શકો છો. અમે તમને કોઈ ડાયેટ કરવાનું નથી કહી રહ્યા. પણ આ એવા ખાદ્ય પદાર્થ છે જે જલ્દીથી વજન ઓછુ કરે છે. જેવા કે લીંબુ પાણી, જડી બૂટ્ટીયો ગ્રીન ટી વગેરે. 
 
પેટની નીચેની ચરબીને ઘટાડવા માટે રોજ 7 થી 8 ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી શરીરની ગંદકી બહાર નીકળી જશે અને તમરુ મૈટાબોલિજમ વધશે. 

જડીબુટ્ટીયો - તમારે સોડિયમ લેવુ ઓછુ કરવુ પડશે નહી તો શરીરમાં પાણીની માત્રા વધશે અને તમે જાડા લાગશો. ભોજનમાં મીઠાના પ્રમાણને કંટ્રોલમાં કરો અને તેને કંટ્રોલ કરવા માટે કેટલાક પ્રકારની જડી બુટ્ટીયોનુ સેવન કરો. ત્રિફળા ખાવ અને વજન ઘટાડો. આમળા કે આમળાના જ્યુસનું સેવન કરી શકો છો. 
 
મધ - મધનુ સેવન કરો. જાડાપણું વધવાનુ એક મુખ્ય કારણ છે ખાંડનું પ્રમાણ. ખાંડની જગ્યાએ તમે મધનુ સેવન કરી શકો છો. 

તજના પાવડરથી તમે તમારી સવારની કોફી કે ચા માં તજનો પાવડર નાખીને બ્લડ શુગરને કંટ્રોલ કરી શકો છો. આ એક ખાંડને રિપલેસ કરવાની સારી રીત છે. 
 
મેવા ખાવ - ફૈટને ઓછો કરવા માટે તમારે ફૈટ ખાવો પડશે. જી હા અનેક લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી. પણ મેવામાં સારા પ્રમાણમાં ફેટ જોવા મળે છે. તો આવામાં તમે બદામ, મગફળી અને અખરોટ વગેરેનું સેવન કરો. તેમાં હેલ્ધી ફેટ હ હોય છે જે શરીરને માટે જરૂરી હોય છે. 

એવાકાંડો નુ સેવન પણ લાભકારી છે. તેમા એવો વસા  હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. તેનુ જ્યુસ પીવાથી તમારુ પેટ આખો દિવસ ભરેલુ રહેશે અને તમે ઓવરઈંટિગથી બચી જશો. 
 
સંતરા.. તમને જ્યારે પણ ભૂખ લાગે તો એ સમયે તમારા પર્સમાં કે બેગમાં સંતરા મુકો. તેનાથી પેટ પણ ભરેલુ રહેશે અને તમે જાડા પણ નહી થાવ. 
 
દહી ખાવ - જો તમારે પાતળા થવુ છે તો અનહેલ્ધી ડેઝર્ટથી બચો અને તેના સ્થાન પર દહી ખાવ. તેમા ઘણા બધા પોષણ હોય છે અને કૈલોરી બિલકુલ પણ હોતી નથી. 
 

ગ્રીન ટી - દિવસમાં એક કપ ગ્રીન ટી પીવાથી લાભ થાય છે. તેનાથી શરીરનુ મૈટાબોલિઝમ વધે છે અને પેટ બર્ન થાય છે. 
 
સાલમન - તેમા ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે જે શરીર માટે જરૂરી વસા છે અને શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.  આ ફેટ તમારા પેટને સંપૂર્ણ રીતે ભરેલુ રાખે છે અને વધુ ખાવાથી બચાવે છે.  
 

બ્રોકલી ખાવ - તેમા વિટામિન સી હોય છે અને સાથે જ આ શરીરમાં એક તત્વ બનાવે છે જે શરીરના ફેટથી એનર્જીમાં બદલવામાં વાપરે છે. 
 
લીંબુનો પ્રયોગ કરો - રોજ સવારે પાણી પીવાથી તમારી ચરબી ઓછી થઈ શકે છે. જો પાણી ગરમ હોય તો વધુ સારુ.  તેમા મધ નાખીને પીવો. 

કાચુ લસણ  ચાવવાથી પેટના નીચેની ભાગની ચરબી ઓછી થશે. જો તેમા થોડો લીંબુનો રસ છાંટી દેવામા6 આવે તો વધુ સારુ. તેનાથી પેટ પણ ઓછુ થશે અને બ્લડ સર્કુલેશન પણ સારુ રહેશે. 
 
તમારા ભોજનમાં આદુનો સમાવેશ કરો કારણ કે તેને ખાવાથી પેટના નીચેના ભાગની ચરબી ઓછી થાય છે તેમા એંટીઓક્સીડેંટ હોય છે જે ઈંસુલિનને વધવાથી રોકે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 

વધુ જુઓ..

સોનું ફરી મોંઘુ થયું! ચાંદીમાં પણ તેજી; જાણો આજે 24 કેરેટ સોનાનો ભાવ શું છે?

અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભામાં 12 જુલાઈએ ઐતિહાસિક વૃક્ષારોપણ: 1 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

PM નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓ માટે લખ્યો પત્ર, લોકોને આ 5 સંકલ્પ લેવાનુ કહ્યુ

પાકિસ્તાન કોચે પણ સ્વીકાર્યુ કે ટીમ ઈંડિયાનુ લેવલ ખૂબ ઉંચુ, ભારત હાલમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ

શેરબજારમાં જોરદાર શરૂઆત! સેન્સેક્સ 480 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300 ને પાર; IT શેરોમાં ભારે ખરીદી જોવા મળી

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments