Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

બુધવાર, 26 માર્ચ 2025 (14:52 IST)
Tips To Pick Watermelon : માર્ચ મહિનામાં કડક ધૂપ પોતાની અસર બતાવી રહી છે અને ગરમી દિવસો દિવસ વધતી જઈ રહી છે. ગરમીમાં તરબૂચની માંગ વધી જાય છે. તરબૂચ અનેક જરૂરી વિટામિન અને ખનીજો વિશેષ રૂપથી વિટામીન સી અને એ થી ભરપૂર હોય છે. આ ફળ ગરમીમાં આખો, ત્વચા અને અહી સુધી કે દિલના સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. તપતી ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો આનુ સેવન કરે છે. 
 
માર્ચનો મહિનો આવતા જ બજારમાં તરબૂચની આવક શરૂ થઈ જાય છે. લોકો તરબૂચ બજારમાંથી ખરીદીને લાવે છે પણ કાપ્યા પછી અનેકવાર મન દુખી થઈ જાય છે જો તરબૂચ કાચુ નીકળે કે મીઠુ ન લાગે.  
 
તરબૂચ કાચુ કે મીઠુ ન નીકળવુ તમારા મૂડ અને પૈસા બંનેને ખરાબ કરે છે પણ જો તમે બજારમાંથી તરબૂચ ખરીદીને લાવી રહ્યા છો તો તમે કાપ્યા વગર તરબૂચ ચેક કરી શકો છો કે તે ગળ્યુ અને પાકુ હશે કે નહી. 
 
જીલ્લા ઉદ્યાન અધિકારીએ જણાવ્યુ કે તરબૂચને આંગળીઓથી વગાડીને તેની ઓળખ કરી શકો છો. તરબૂચની ઉપર તમે આંગળીઓથી મારો છો તો તેની અંદરથી હૉલો સાઉંડ આવે છે મતલબ કે તરબૂચની અંદરથી ખોખલાપણાનો અવાજ આવી રહ્યો છે તો તરબૂચ મીઠુ હશે. 
 
તરબૂચ ખરીદતી વખતે છાલટાથી પણ સાચો અંદાજ લગાવી શકાય છે કે તરબૂચ પાકુ છે કે નહી. જો તરબૂચની ઉપર ધબ્બા જોવા મળી રહ્યા છે તો તમે બિંદાસ તરબૂચ ખરીદી શકો છો. આવુ તરબૂચ નેચરલ રીતે પાકેલુ હશે અને જો તરબૂચ ઉપર વધારે પડતા નિશાન દેખાય કે કાળા ધબ્બા જેવા લાગે તો આવુ તરબૂચ બિલકુલ ન ખરીદશો. 
 
તરબૂચને જલ્દી બજારમાં વેચવાના ચક્કરમાં ખેડૂત અનેકવાર કેમિકલનો પણ ઉપયોગ કરે છે. આવુ તરબૂચ ઓળખવુ પણ જરૂરી છે. જો તરબૂચના છાલટા ઉપર પીળા ધબ્બા જોવા મળી રહ્યા છે તો તેને ખરીદી શકાય છે. પીળા ધબ્બા ધૂપના સંપર્કમા આવવાથી આવી જાય છે. પણ જો તરબૂચની ઉપર ઘટ્ટ લીલો અને નિશાન વગરનુ તરબૂચ છે તો આ વાતની શક્યતા છે કે તરબૂચ કેમિકલથી પકવ્યુ છે.  કેમિકલથી પકવેલુ તરબૂચ તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે.   

વધુ જુઓ..

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટી કાર્યવાહી: 8 આરોપીઓના ઘરો પર ઝડપી દરોડા, ₹80 લાખ રોકડા મળી આવ્યા

પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકવાદી હુમલો: સિંધ રેન્જર્સના મુખ્યાલય પર દરોડા, 6 આતંકવાદીઓ માર્યા ગયા, 4 સૈનિકો માર્યા ગયા

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

મેસ્સીએ વધુ એક વિશ્વ રેકોર્ડ તોડીને સતત સાત વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બન્યો.

"નાલંદા યુનિવર્સિટીએ શાસ્ત્રાર્થની પરંપરાને પુનર્જીવિત કરી છે," પીએમ મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં કહ્યું.

વધુ જુઓ..

Purnima June 2026: આજે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય માટે કરશે વટ ​​સાવિત્રી પૂર્ણિમાનું વ્રતજાણો શુભ મુહૂર્ત, મહત્વ અને વ્રત કથા

આજે સોમવારે જ્યેષ્ઠ પૂર્ણિમા અને બિલ્વ ત્રિરાત્રીનો સંયોગ, જરૂર કરો આ સહેલા ઉપાય દૂર થશે દરેક અવરોધ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 જૂન 2026

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

રવિવાર અને જ્યેષ્ઠ નક્ષત્રના યુતિમાં કરો આ સરળ ઉપાયો, તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે.

આગળનો લેખ
Show comments