Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાનનો જન્મ દિવસ સાદગીથી ઉજવાય તે માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો

શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (12:49 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. ત્યારે આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઇ પણ પ્રકારની ઉજવણી કર્યા વગર ગુજરાતમાં આવવાનું પસંદ કર્યું છે. જો કે સરકાર અને ભાજપે તેમના જન્મ દિવસને સેવા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. જન્મદિવસના કાર્યક્રમમાં સાદગી જળવાઇ રહે તે માટે હાઇકમાન્ડ દ્વારા પાર્ટીના નેતાઓને પત્ર મોકલવામાં આવ્યો છે. સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ પ્રસારમંત્રી વૈક્યા નાયડુએ સાંસદો અને મંત્રીઓને સેવા કાર્યની પરિભાષા સાથે એક સલાહપત્ર મોકલ્યો છે. હાઇકમાન્ડ દ્વારા કાર્યકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે પ્રધાનમંત્રીનો જન્મ દિવસ સાદગીથી ઉજવવામાં આવે.  આ અવસર પર ફટાકડા ફોડવા, મિઠાઇ વહેંચવા, બેનર અને પોસ્ટર લગાવવાની પણ ના પાડવામાં આવી છે. સાથે જ નાયડુએ સેવાકિય કાર્યોની જે યાદી મોકલી છે. તેમાં સેવા, સમર્પણ, સંકલ્પ, સંપર્ક અને સંયોજન સાથે જોડાયેલા કાર્યક્રમો કરવા અંગે સલાહ આપી છે. સેવામાં એવી પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપવામાં આવી છે કે જેમાં કોઇ પણ પ્રકારનો શારીરિક શ્રમ હોય સાથે જ સમર્પણમાં દાન કરવાની વાત કહેવામાં આવી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments