Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કોમી તોફાનો કરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો

Updated: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (14:25 IST)
થરાદમાં ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આંજણા પટેલ બોર્ડીંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીવરાજભાઈ પટેલના સમર્થનમાં જંગી જનમેદનીને સંબોધતાં થરાદના પ્રશ્નો અને નર્મદાનાં પાણી સહિત બાકીના પ્રશ્નોના ઉકેલની ખાત્રી આપતાં જણાવ્યું હતું કે ૨૧મી તારીખ તમારી, ભાજપને મત આપી આવજો ૨૨ તારીખથી અમારૂ કામ થરાદે જેટલું આપેલું હશે એના કરતાં મારી સરકાર સવાયું થરાદને આપશે. સાથે સાથે તેમણે કૉંગ્રેસ પર સમાજ વચ્ચે ઝગડા અને કોમી તોફાનો કરાવ્યાના આક્ષેપ પણ કર્યા હતા.
મુખ્યપ્રધાનએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા માવજીભાઇ પટેલને આવકારતાં તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસનો સફાયો થઇ ગયો છે. પોતે કરેલ લોકકર્મી સ્વઃ જગતાબાની પ્રતિમાના અનાવરણને યાદ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારના વિકાસ અને શિક્ષણ અને વ્યસનમુક્તિ પાછળ કરેલાં લોકહિતનાં કાર્યોનું ઋુણ ચુકવવાનું છે. પરબતભાઇ પટેલે દિવસરાત એક કરીને લોકોનાં કરેલાં સેવાના કાર્યોને યાદ કરતાં બનાસકાંઠામાંથી તેમને દિલ્હી મોકલવા બદલ પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને આતંકવાદીઓ સામે લીધેલા બદલા તથા કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા કલમ ૩૭૦ની કલમ રદ કરી ૫૬ની છાતી બતાવી હવે પીઓકે લેવાનો વિશ્વાસ હોવાની વાત કરી દેશની એકતા અને અખંડિતતાને મતની લાલચમાં ભાગ ભડાવવાના બદલે દેશને એક કર્યો હોવાનું જણાવ્યું હતું. કૉંગ્રેસે ૩૭૦ની કલમ રાખવાની વાત ચુંટણી ઢંઢેરામાં કોના માટે કરી હતી તેનો પ્રજાને જવાબ આપવા જણાવ્યું હતું.રામમંદીરની સુનાવણી પણ પુર્ણ થઇ હોઇ આવતા મહીને અયોધ્યામાં રામમંદીરનું ભવ્ય નિર્માણ થશે તેમ જણાવી તેમાં બાધારૂપ બનનાર કૉંગ્રેસ પર પ્રહારો પણ કર્યા હતા.  

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments