Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુનિયા બનાવનાર બ્રહ્માજીની પૂજા શા માટે નથી કરવામાં આવતી ?

રવિવાર, 16 જુલાઈ 2017 (10:51 IST)
તમે બધા ત્રિમૂર્તિ વિશે તો સાંભળ્યું હશે જ . બ્રહ્મા , વિષ્ણુ અને મહેશ આ દુનિયાના સૌથી તાકતવર ભગવાન છે. હિન્દુ ધર્મમાં વિષ્ણુ અને શિવની તો પૂજા થતા તમે જોઈ હશે. પણ શું તમે ક્યારે વિચાર્યુ  છે કે બ્રહ્માજીની પૂજા શા માટે નથી કરવામાં આવતી. 
જ્યારે કે બ્રહ્માએ તો આખુ વિશ્વ બનાવ્યુ  છે. જેટલા પણ જીવ જંતુ છે બધા બ્રહ્માથી ઉત્પન્ન થયા છે . બ્રહ્મા બુદ્ધિના દેવતા છે અને ચારે વેદ બ્રહ્માના માથામાંથી ઉત્પન્ન  થયા છે. આટલું બધુ થયા છતા પણ બ્રહ્માની પૂજા નથી થતી. આવો જાણીએ શુ છે કારણ ... 
 

શિવે આપ્યો શ્રાપ 
 
એક વાર બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ થઈ ગયો  કે બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ છે. બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા હોવાના કારણે શ્રેષ્ઠ હોવાનો દાવો  કરી રહ્યા હતા અને ભગવાન આખી સૃષ્ટિના પાલનકર્તાના રૂપમાં પોતાને શ્રેષ્ઠ કહી રહ્યા હતા. ત્યારે ત્યાં એક વિરાટ લિંગ પ્રકટ થયું. બન્ને દેવતાઓએ સહમતિ થી એ નક્કી કર્યુ  કે જે આ લિંગના ખૂણા વિશે પહેલા જાણ કરશે એ જ શ્રેષ્ઠ ગણાશે . 
આથી બન્ને વિપરીત દિશામાં ખૂણો શોધવા ગયા. ખૂણો ન મળવાના કારણે વિષ્ણુજી પરત આવી ગયા. બ્રહ્માજી પણ સફળ  ન થયા પરંતુ એમણે આવીને વિષ્ણુજીને કહ્યું કે એ ખૂણા સુધી પહોંચી ગયા અને એમને કેતકીના ફૂલને એનું સાક્ષી તરીકે ઓળખાવ્યુ.  
 
બ્રહ્માજીના અસત્ય પર  શિવજી પોતે ત્યાં પ્રકટ થયા અને એમણે બ્રહ્માજીનું  એક માથું કાપી  નાખ્યુ અને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો કે  કયારે પણ કેતકીના ફૂલોના ઉપયોગ પૂજા માટે નહી થાય. અને બ્રહ્માજીની પૂજા નહી થાય . 

સરસ્વતીનો  શ્રાપ   
એક કથા મુજબ બ્રહ્માજીએ  આખી સૃષ્ટિ નિર્માણ પછી દેવી સરસ્વતીને બનાવ્યા.સરસ્વતીને બનાવ્યા પછી બ્રહ્માજી એમની ખૂબસૂરતીથી મોહિત થઈ ગયા. સરસ્વતી બ્રહ્માજી સાથે શારીરિક સંબંધ બનાવવા નહોતી  ઈચ્છતી આથી એને પોતાનું રૂપ બદલી લીધું . પણ બ્રહ્માએ હાર ન માની. અંતે સરસ્વતીએ ગુસ્સામાં આવીને બ્રહ્માજીને શ્રાપ આપી દીધો કે વિશ્વનું  નિર્માણ કર્યુ  હોવા છતાંય એમની પૂજા નહી કરવામાં આવે.  

વધુ જુઓ..

શું ચોમાસાની ઋતુમાં દહી ન ખાવી જોઈએ ?

ચોમાસામાં લાઈટ ચાલુ કરતાં જ ઘરમાં ભરાઈ જાય છે પાંખવાળા કીડા? આ રહ્યા તેને ભગાડવાના અચૂક ઘરેલું ઉપાયો

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ