Webdunia - Bharat's app for daily news and videos

Install App

કુંભમાં સ્નાન કરવુ અંધવિશ્વાસ છે કે વિજ્ઞાન ? આવો જાણીએ

Updated: બુધવાર, 4 મે 2016 (12:42 IST)
સૌથી મોટો મેળો કુંભ મહાકુંભના સ્નાનનું જેટલુ મહત્વ છે એટલુ કોઈ બીજા સ્નાનનું નથી. આ કુંભ સ્નાનની સૌથી મોટી ખાસિયત અને તેની સૌથી મોટી રોનક, કે જે આ મેળાની ચકાચોંઘ વધારી દે છે તે છે નાગા સાધુઓનુ અહી આવવુ. લગભગ હજારો વર્ષથી આવો જ એક ક્રમ સતત ચાલી રહ્યો છે. 
 
અહી એક એવી વાત પણ છે જે મનમાં ઢગલો સવાલોનુ તોફાન લાવે છે. છેવટે બાર વર્ષમાં એકવાર અહી ન્હાવાનુ શુ મહત્વ છે ?  આનો સંબંધ યોગનો  એક મૂળભૂત પહેલુ છે. જેને ભૂત શુદ્ધિ કહેવામાં આવે છે અને તેનો અર્થ છે તમારા પંચતત્વોની સફાઈ કરવી. જો વિજ્ઞાનની દ્રષ્ટિથી જોવામાં આવે તો ન્હાવાનુ પાણી એક રીતે શરીરની સામાન્ય જરૂરિયાત હોય છે. આ સાથે જ ન્હાવુ પણ શરીર માટે જરૂરી હોય છે. 

વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો લાગે છે કે કુંભમાં ડુબકી લગાવવી કોઈ અન્ય ડુબકી લગાવવી જેવુ સામાન્ય છે.  આપણા શરીરની વાત કરીએ જે પાંચ તત્વોનુ બનેલુ છે. તેને પણ પાણીની ખૂબ જરૂર હોય છે. તેમા 72% પાણી છે, 12% પૃથ્વી છે, 6% વાયુ છે, 4% અગ્નિ છે બાકી આકાશ છે.  કોઈ માણસ માટે અહી સારી રીતે રહેવા માટે પાણીનુ ખૂબ મહત્વ છે. કારણ કે શરીરનો સૌથી મોટો ભાગ પાણી હોય છે. 
 
જ્યા વર્ષમાં કે એક સોર્ય વર્ષમાં જે બાર વર્ષ ત્રણ મહિના હોય છે. જુદા જુદા સમય પર તમામ શક્તિઓ એક ખાસ રીતે કામ કરી રહી છે.  બસ આ સ્થાનોમાંથી કોઈ ખાસ દિવસ કે દિવસો માટે પસંદ કરવામાં આવ્યા. 
 
પ્રાચીન સમયમાં દરેક એ જાણતુ હતુ કે 48 દિવસના મેળા દરમિયાન જો તમે કુંભમાં રોકાયા અને દરેક દિવસ તમે જરૂરી સાધના સાથે એ પાણીમાં જશો તો તમે તમારા શરીરને મનોવૈજ્ઞાનિક રીતે નવી ઉર્જા આપી શકો છો. આ ઉપરાંત તમારે એ 48 દિવસો દરમિયાન જ તમારી અંદર જોરદાર આધ્યાત્મિક પ્રગતિ અનુભવશો.  પણ આજકાલની દોડતી ભાગતી જીંદગી વચ્ચે લોકો થોડા જ સમય માટે અહી આવી શકે છે અને ઉતાવળથી ચાલ્યા પણ જાય છે. 
 
એક રીતે જોવા જઈએ તો આ એક પ્રકારનો કાર્યક્રમ જ છે જેમા આવીને લોકો સ્નાન કરીને પોતાના મનનો ભ્રમ મટાડી દે છે. જેવુ કે કહેવાય છે કે કુંભમાં ન્હાવાથી બધા પાપ ધોવાય જાય છે. ઈશ્વર સાથે મેળાપ થાય છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ માને છે અને કેટલાક લોકો વિજ્ઞાનની દ્રષ્ટિથી શરીર માટે ઉપયોગી કાર્ય.  હવે સવાલ એ ઉભો થાય છે કે આપણે કુંભને આસ્થા સાથે જોડીને જોઈએ છે કે વિજ્ઞાન સાથે,  આ સવાલ હજુ પણ એવો જ છે. 

વધુ જુઓ..

ચોમાસામાં ચોખાને આ રીતે રાખો સુરક્ષિત, નહી પડે જીવાણુ

રોઝ કોકોનટ બરફી રેસીપી

ગર્ભાવસ્થાના 1થી 9 મહિના: કયા મહિનામાં બાળકનો કેટલો વિકાસ થાય છે અને શું ખાવું?

હાઈ બીપીના દર્દીઓએ ન કરવું જોઈએ આ પ્રકારના બ્રેકફાસ્ટનું સેવન, જાણો વિશેષજ્ઞ મુંજબ હેલ્ધી ઓપ્શન

સ્ટ્રીટ સ્ટાઇલ વેજ મોમોઝ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 ઓગસ્ટ 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -19 ઓગસ્ટ 2026

Happy Sheetla Saptami Wishes in Gujarati - શીતળા સાતમની હાર્દિક શુભકામનાઓ

Sawan Putrada Ekadashi Kyare Che 2026: 23 અને 24 ઓગસ્ટ બે દિવસ શ્રાવણ પુત્રદા એકાદશી, જાણો યોગ્ય તારીખ, મુહૂર્ત અને પારણાનો સમય

Shitala Satam Vrat Katha- શીતળા સાતમ ની વાર્તા

આગળનો લેખ
Show comments