Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજા શાહી સ્નાન પર 50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડુબકી (જુઓ ફોટા)

સોમવાર, 9 મે 2016 (13:21 IST)
સિંહસ્થ કુંભનુ બીજુ શાહી સ્નાન સોમવારે સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ ગયુ. અક્ષય તૃતીયાના શુભ મુહૂર્તના શુભારંભ સાથે જ સંતોએ ક્ષિપ્રા નદીમાં રામઘાટ પર ડુબકી લગાવી. સૌ પહેલા નાગાઓએ સ્નાન કર્યુ. અન્ય અખાડા માટે જુદો જુદો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલા રવિવારે મઘ્યરાત્રિથી જ સ્નાનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી હતી. 

 
 
બધા ફોટા - ભીંકા શર્મા 
 
 

અહી સૌ પહેલા સામાન્ય શ્રદ્ધાળુઓએ ક્ષિપ્રાના વિવિધ ઘાટ પર સ્નાન કર્યુ. વહેલી સવારે પહેલા જૂના અખાડાએ પોતાની છાવણીથી ક્ષિપ્રા ઘાટ તરફ વળ્યા.  સ્નાન માટે નાગાઓની ટોળી મહામંડલેશ્વર સંત અવધેશાનંદ સાથે દત્ત અખાડા ઘાટ પર પહોંચ્યા. કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારી ઘાટની સુરક્ષા અને શહેરની સુરક્ષા માટે ગોઠવાયેલા છે. 

 
 

અક્ષય અમૃત 
 
સિંહસ્થ મહાપર્વ પર બીજુ અમૃત સ્નાન અક્ષય તૃતીયા પર અમૃત સિદ્ધિ યોગમાં સોમવારની વહેલી સવારે શરૂ થયુ. જૂના અખાડાના નાગા સાધુઓએ મોક્ષદાયિની ક્ષિપ્રામાં હર હર મહાદેવનો જયઘોષ કરતા ડુબકી લગાવી.  તટો પર રોશની અને ભોર પર ઉદિત થતા સૂર્યનારાયણની રશ્મિયોની વચ્ચે એવુ લાગ્યુ જાણે આકાશમાંથી અમૃત છલકી રહ્યુ હોય. 

 

નાગા ઘાટ પર આવીને ઉભા થયા અને જેવો જ દંડના માધ્યમથી તમને આ વાતનો ઈશારો મળી કે તે સ્નાન કરે. આમ જ નાગા નદીમાં કુલાંચે મારવા લાગ્યા. ઘણી વાર સુધી નાગા સાધુ ક્ષિપ્રા મૈયાની ગોદમાં વિચરણ કરતા રહ્યા. ત્યારબાદ અન્ય અખાડાઓનુ સ્નાન શરૂ થશે. એ પહેલા પ્રશાસને નાગાઓના સ્નાન પછી સમગ્ર ઘાટને વ્યવસ્થિત કરાવ્યો. ત્રીજુ શાહી સ્નાન 21 મે ના રોજ થશે.  આ પહેલા પર્વ સ્નાન શંકરાચાર્ય જયંતી 11 મે ના રોજ થશે.  આવતા અને અંતિમ શાહી સ્નાન પહેલા પાંચ પર્વ સ્નાન થશે. 













વધુ જુઓ..

શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર કરે છે કુલ્થીની દાળ, ડાયેટમાં સામેલ કરશો તો થશે 5 ફાયદા

ઉપવાસ માટે શક્કરિયા ગુલાબ જામુનની રેસીપી

Rain Shayari- વરસાદના ટીપાં કંઈક એવું કહી જાય,

શાક વધારે તીખું થઈ ગયું? ચિંતા નહીં, 2 મિનિટમાં સ્વાદ સંતુલિત કરશે આ સરળ ટ્રિક્સ

વરસાદમાં ભીના થયા પછી તરત જ કરો આ 5 કામ; રોગોથી દૂર રહેશો

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

આગળનો લેખ
Show comments