Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોબેલ સંવાદમાં મહાત્મા મંદિરમાં ખુરશીઓ ખાલી રહી

મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (12:13 IST)
મંગળવારે સવારે મહાત્મા મંદિર ખાતે નોબેલ ડાયલોગનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે નવ નોબેલ લોરેટ્સ પણ હાજર હતા. એક વાત બધાને ધ્યાને આવી હતી કે હોલમાં નોબેલ લોરેટ્સ આવી ગયા બાદ પણ પાછળની ઘણી બધી ખુરશીઓ ખાલી હતી. અગાઉ સોમવારે સાંજે નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટી ખાતે નોબલ પ્રાઇઝ સિરીઝ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે નોબલ લોરેટ્સ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતાં.  આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઇને ખુશી થઇ. મારી સામે ભાવિ વૈજ્ઞાનિકો બેઠા છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે, જ્યારે આર્થિક વિકાસમાં વૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહી છે. મેડિકલ સંશોધન ક્ષેત્રે ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ અમારું લક્ષ્ય છે.નોબેલ એક્ઝિબિશન તા. 9મીથી 12મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જોવા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ, અવકાશ, વિજ્ઞાન, સમુદ્ર જેવી થીમ પર ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રસંગે તા. 10મીએ મહાત્મા મંદિરમાં નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ

ગુજરાતી જોક્સ - નોકરાણી

Mother's Day Special Tourism - અમદાવાદમાં મધર્સ ડે પર મમ્મી સાથે ફરવા લાયક સ્થળો

બોલીવુડના 6 ગુમનામ ચેહરા જે રાતોરાત બન્યા સ્ટાર અને પછી એક દિવસ અચાનક થઈ ગયા ગાયબ, આજે વર્ષો પછી પણ તેઓ બની ગયા એક રહસ્ય

મોતનાં ખોટા સમાચાર પર ભડક્યા બોલીવુડ અભિનેતાના પિતા, અફવાઓ પર બતાવી નારાજાગે, બોલ્યા - આ સારી વાત નથી

આગળનો લેખ
Show comments