Webdunia - Bharat's app for daily news and videos

Install App

કસરત કે Yog કરતા પહેલા તેના વિશેની ગેરસમજ જાણી લો

Updated: શનિવાર, 20 મે 2017 (14:18 IST)

વધારે કસરત કરવાથી કેલરી વધુ બળે છે અને લાંબા સમય સુધી કસરત કરવાથી વધુ ચરબી બર્ન થાય છે, આ સૌથી મોટું મિથક છે જે મોટાભાગના લોકોમાં વ્યાપેલું છે. કોઇપણ કસરતનું ફોકસ એ વાત પર હોવું જોઇએ કે તે કરવાથી નિયત સમયમાં તમે કેટલી ચરબી બાળી શકો છો. વધારે હેવી કસરતને તમે લાંબો સમય સુધી નથી કરી શકતા, માટે સુરક્ષિત માર્ગ એ જ છે કે તમે કસરતનો ધીમે-ધીમે આરંભ કરો બાદમાં તેને ધીમે-ધીમે વધારતા જાઓ. એકસાથે વધુ ચરબી બાળવાની ચાહમાં પહેલા જ પ્રયાસે વધારે પડતી કસરત ન કરશો.

યોગ સૌથી સુરક્ષિત કસરત છે, આ માન્યતા સાવ ખોટી છે. યોગ કરતા વધુ સારું બીજું કંઇ નથી પણ તેમાંની કેટલીક કસરતો કરતી વખતે માનસિક અને શારીરિક ધ્યાન કરવું બહુ જરૂરી હોય છે. માટે સુરક્ષાને ધ્યાનમાં રાખતા વધુ સારું પરિણામ મેળવવા માટે કોઇ યોગ્ય યોગ નિષ્ણાતની સલાહ વગર યોગ ન કરવા.

નિયમિત કસરત કરવાથી વજન તુરંત ઓછું થઇ જાય છે. આ દરેક વ્યક્તિને લાગુ નથી પડતી. કારણ કે કોઇ વ્યક્તિના વજન વધવા કે ઘટવા પાછળ જિનેટિક કારણો બહુ મહત્વ ધરાવે છે. આ વિષય પર સંશોધન માટે અનેક લોકો પાસેથી એક જ પ્રકારની કસરત કરાવવામાં આવી, પણ સહુના પરિણામો અલગ-અલગ હતા.

માત્ર કસરત જ વજન નિયંત્રિત કરે છે, આ માન્યતા પણ એક ભ્રમ છે. વજન ઓછું થવું કે વધવું એક નહીં ઘણી બાબતો પર નિર્ભર કરે છે. તેના માટે જિનેટિક કારણો સિવાય તમારું ભોજન, જીવનશૈલી પણ મહત્વ ધરાવે છે. માટે માત્ર કસરત કરીને તમારું વજન સંપૂર્ણપણે આદર્શ થઇ જશે તે જરૂરી નથી. નિયમિત શારીરિક શ્રમ કરીને પણ તમે લાંબા સમય સુધી વજનને નિયંત્રણમાં રાખી શકો છો.

ફિટ રહેવા માટે જિમમાં જવું. આ જરૂરી નથી. સંશોધનો જણાવે છે કે જે લોકો ઘરે ફિટ થવા માટેના પ્રોગ્રામ ફોલો કરે છે તેમાંના ઘણાં સારી રીતે પોતાની જાતને ફિટ રાખી શકે છે. સવાલ માત્ર એ બાબતનો છે કે તમે જે કંઇ કરો તે નિયમિત રૂપે કરો.

વધુ જુઓ..

Amazon Great Freedom Sale 2026 શરૂ, ફ્લેગશિપ સ્માર્ટફોંસ પર બંપર ડિસ્કાઉંટ, ચેક કરો ઓફર

બોયફ્રેન્ડ સાથે મોજ-મસ્તી અને દારૂની પાર્ટીઓનો શોખ... પૈસા માટે ભત્રીજીએ પાર કરી હેવાનિયતની હદ

આજે 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે? નવીનતમ IMD અપડેટ વાંચો

વડોદરામાં કોંસ્ટેબલને ધક્કો મારીને નાસી છૂટ્યો દુષ્કર્મનો આરોપી, શોધવામાં લાગી પોલીસ

પટણામાં એક યુવાનના મોત બાદ, ગુસ્સે ભરાયેલા ટોળાએ NH-30 ને અવરોધિત કર્યું અને અનેક વાહનોને આગ ચાંપી દીધી.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 ઓગસ્ટ 2026

કામિકા એકાદશી ક્યારે છે, 8 કે 9 ઓગસ્ટ, જાણો વ્રતની સાચી તિથી અને ભગવાન વિષ્ણુની પૂજાનું શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments