Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્ય નમસ્કાર - બધા રોગોમાં લાભદાયક

Updated: શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (12:26 IST)
3) ત્રીજી સ્થિતિમાં શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા આગળની તરફ નમો. હાથ ગરદનની સાથે, કાનથી અડાવીને નીચે જઈને પગને જમણી-ડાબી પૃથ્વીને સ્પર્શ કરો. ઘૂંટણ સીધા રહેવા જોઈએ. થોડી ક્ષણ આવી જ સ્થિતિમાં રહો. આ સ્થિતિને પાદ પશ્ચિમોતાસનની સ્થિતિ કહે છે.

4) આવી સ્થિતિમા શ્વાસને લેતા જમણા પગને પાછળની તરફ લઈ જાવ. છાતીને તાણીને આગળ ખેંચો. ગરદનને વધુ પાછળ નમાવો. પગ ખેંચેલા સીધા અને પાછળની બાજુ ખેંચાવ અને ઉભો હોવો જોઈએ. થોડો સમય આ જ સ્થિતિમાં રહો. મુખાકૃતિ સામાન્ય રાખો.

5) શ્વાસને ધીરે ધીરે બહાર કાઢતા ડાબા પગને પણ પાછળ લઈ જાવ. બંને પગની એડિયો પરસ્પર મળેલી રહેવી જોઈએ. પાછળની તરફ શરીરને ખેંચો અને એડિયો જમીન પર લાવવાનો પ્રયત્ન કરો. નિતંબને વધુને વધુ ઉપર ઉઠાવો. ગરદનને નીચે નમાવીને દાઢીને કંડમાં લગાવો.

6) શ્વાસ ભરતા શરીરને પૃથ્વીને સમાંતર,સીધુ સાષ્ટાંગ દંડવત કરો અને પહેલા ઘૂંટણ છાતી અને માથુ પૃથ્વી પર લગાવી દો. નિતંબોને થોડા ઉપર ઉઠાવો. શ્વાસ છોડી દો. શ્વાસની ગતિ સામાન્ય કરો.

7) આ સ્થિતિમાં ધીરે ધીરે શ્વાસ લેતા છાતીને આગળની તરફ ખેંચતા હાથોને સીધા કરી દો. ગરદનને પાછળની તરફ લઈ જાવ. ઘૂંટણ પૃથ્વીને સ્પર્શ કરતા અને પગના પંજા ઉભા રહે. આ સ્થિતિને ભુજંગાસન કહે છે.

8) આ સ્થિતિ - પાંચમી સ્થિતિ જેવી છે.

9) આ સ્થિતિ - ચોથી સ્થિતિ જેવી છે.

10) આ સ્થિતિ - ત્રીજી સ્થિતિ જેવી છે.

11) આ સ્થિતિ - બીજી સ્થિતિ જેવી છે.

12) આ સ્થિતિ - પહેલી સ્થિતિ જેવી રહેશે.

બાર સ્ટેપ પછી ફરી વિશ્વામની સ્થિતિમાં ઉભા થઈ જાવ. હવે આ આસનને ફરી કરો. પહેલી, બીજી અને ત્રીજી સ્થિતિ એ જ ક્રમમાં રહેશે પણ ચોથી સ્થિતિમાં પહેલા જમણો પગને પાછળ લઈ ગયા હતા ત્યાં જ હવે પહેલા ડાબા પગને પાછળની તરફ લઈ જતા આ નમ:સ્કાર કરો.

સાવધાની :કમર તથા કરોડરજ્જુના રોગી આ આસન ન કરે. સૂર્યનમસ્કારની ત્રીજી અને પાંચમી અવસ્થા સર્વાઈકલ અને સ્લિપ ડિસ્કવાળા રોગીયો માટે હિતાવહ નથી. કોઈ ગંભીર રોગ હોય તો યોગનિષ્ણાંતની સલાહ બાદ જ આ યોગનો લાભ લેવો.

 
W.D
લાભ : સૂર્યનમસ્કાર ખુબ જ લાભદાયક છે. આના નિયમિત અભ્યાસથી હાથ અને પગના દુઃખાવામાંથી રાહત મળે છે. ગળુ, ફેફસા, તથા પાસળીયોની માંસપેસિયો મજબૂત બને છે અને શરીરમાંથી નકામી ચરબી નાશ પામે છે.

સૂર્યનમસ્કાર કરવાથી ચામડીના રોગ દૂર થાય છે. તેના અભ્યાસથી કબજીયાત અને પેટના દર્દોમાંથી મૂક્તિ મળે છે, અને પાચનતંત્ર મજબૂત બને છે. આ આસનના નિરંતર અભ્યાસથી શરીરની નાનીમોટી બધી જ નસ અને માંસપેસિયોની તકલિફો દૂર થઈ જાય છે. તેનાથી આળસ અનિદ્રા અને અન્ય વિકારો દૂર થાય છે.

વધુ જુઓ..

ગુજરાતમાં કોન્ટ્રેક્ટ આધારિત નોકરીઓમાં અનામત લાગુ કરવાની સરકારની તૈયારી

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં ખડક પડવાથી 13 લોકોના મોત; ટાટા સુમો પર પર્વતનો એક ભાગ પડ્યો

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ઉપવાસ તોડ્યા પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી અંગે સોનમ વાંગચુકે શું કહ્યું? તેમણે ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું કારણ પણ સમજાવ્યું.

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

ક્યારે છે ગુરૂ પૂર્ણિમા ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

Show comments