Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanurasana- ધનુરાસનની રીત અને ફાયદા

રવિવાર, 10 માર્ચ 2024 (14:48 IST)
Dhanurasana- આમાં, શરીરનો આકાર સામાન્ય રીતે દોરેલા ધનુષ જેવો થઈ જાય છે, તેથી તેને ધનુરાસન કહેવામાં આવે છે.
 
 
વિધિ :  ધરતી પર યોગ માટે ફેલાવી મકરાસનની અવસ્થામાં પેટના બળે ઉંધી સૂઈ જાઓ. પછી બંને પગને પરસ્પર અડાડી હાથોને કમર સાથે જોડો. દાઢી ભૂમિ પર ટેકવો. એડી-પંજા અને ધૂંટણ જોડાયેલા હોય. કોણીઓ કમરને અડેલી, ઉપરની તરફ હથેળી મુકો. હવે પગને ઘૂંટણથી વાળો. પછી બંને હાથથે પગના અંગૂઠાને જોરથી પકડો. પછી હાથ અને પગને ખેંચતા ઘૂંટણ પણ ઉપર ઉઠાવો. માથુ પાછળની તરફ પગના તળિયા પાસે લઈ જાવ. આખા શરીરનો ભાર નાભિપ્રદેશના ઉપર જ રહે. કુમ્ભક કરીને આ સ્થિતિમાં 10-30 સેકંડ સુધી રહો.
 
પાછા ફરવા માટે પહેલા દાઢીને જમીન પર ટેકવી પગ અને હાથને સમાનાંતર ક્રમમાં ક્રમશ: ધીરે ધીરે જમીન પર લઈ ફરીથી મકરાસનની સ્થિતિમાં આવી જાવ.અને શ્વાસોચ્છસની પ્રક્રિયા સામાન્ય બનતા તેનું પુનરાવર્તન કરો. આ રીતે ત્રણથી ચાર વાર આ આસન કરો.
 
સાવધાની : જે લોકોને કમરનો દુખાવો અથવા ડિસ્કની તકલીફ હોય તેમણે આ આસન કરવું હિતાવહ નથી. પેટને લગતો અન્ય કોઈ રોગ હોય તો પણ આ આસન ન કરવું જોઈએ.
 
લાભ : ધનુરાસનથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આનાથી બધા જ આંતરિક અંગો, માંસપેશિયો તથા ઘુટણના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે.આ આસન શરીરમાં ઉર્જા તથા સત્વ, રજસ,તમસ એમ ત્રણ ગુણોનું સંતુલન બનાવી રાખે છે. હ્રદય મજબુત બને છે. ગળાના તમામ રોગ મટી જાય છે. પાચનશક્તિમાં વધારો થાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા સુઘડ બને છે. કબજીયાતની તકલિફ દૂર થાય છે. મેરૂદંડમાં લચીલાપણું આવેઅ છે. સર્વાઈકલ, સ્પોંડોલાઈટીસ, કમરનો દુખાવો તથા પેટના દર્દોમાં આ હિતકારી આસન છે. સ્ત્રીઓની માસિક વિકારોમાં લાભપ્રદ છે.કિડ્નીને પોષણ આપી મુત્ર-વિકારોને દૂર કરે છે.

Edited by-Monica Sahu 

વધુ જુઓ..

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

ડાકોર રણછોડરાય મંદિરમાં વિવાદ બાદ મોટો નિર્ણય; મનોરથોનો ચાર ગણો ભાવવધારો 2 મહિના માટે મોકૂફ

Gold Silver Price Today May 16: ચાંદી રૂ. 200000 લાખથી ગબડી, સોનુ પણ થયુ ધડામ, જાણી લો આજના ભાવ

વધુ જુઓ..

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

આગળનો લેખ
Show comments