Webdunia - Bharat's app for daily news and videos

Install App

શીર્ષાસન

માથાના બળે કરવામાં આવતુ હોવાથી આને શીર્ષાસન કહે છે.

વિધિ - બંને ઘૂંટણ જમીન પર ટકાવતા હાથોની કોણીઓ જમીન પર મૂકો. પછી હાથોની આંગળીઓને પરસ્પર મેળવીને ગ્રિપ બનાવો, ત્યારે માથાને ગ્રિપ બનેલી હથેળીઓની પાસે જમીન પર ટેકવી દો. જેનાથી માથાને ટેકો મળશે.

પછી ઘૂંટણને જમીનથી ઉપર ઉઠાવીને પગને લાંબા કરી દો. પછી ધીરે ધીરે પંજા ટકાવી બંને પંજાને બળ ચઢાવતા શરીરની પાસે અર્થાત માથાની નજીક લાવવામાં આવે છે અને પછી બંને પગને ઘૂંટણથી વાળતા તેમને ધીરે ધીરે ઉપર ઉઠાવીને સીધુ કરવામાં આવે છે અને પૂર્ણ રૂપથી માથાને બળે શરીરને ટેકવવામાં આવે છે.

થોડી વાર આ જ અવસ્થામાં રહ્યા પછી ફરી એ જ અવસ્થામાં આવવા માટે પહેલા ઘૂંટણને વાળતા ધીરે ધીરે ઘૂંટણને પેટની તરફ લાવતા પંજાઓને જમીન પર મૂકવામાં આવે છે. પછી માથાને જમીન પર ટકાવી થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી માથાને જમીન પરથી ઉઠાવતા વજ્રાસનમાં બેસીને પૂર્વ સ્થિતિમાં આવી જાવ.

સાવધાની : શરૂઆતમાં આ આસન દિવાલનો ટેકો લઈને જ કરવુ જોઈએ અને એ પણ યોગાચાર્યની દેખરેખમાં. માથાને જમીન પર ટેકવતી વખતે ધ્યાન રાખો કે સારી રીતે માથાનો આ ભાગ જ ટેકવ્યો છે, જેથી ગરદન અને કરોડરજ્જુ સીધા રહે. પગને એકદમ ઝટકાથી ઉપર ન ઉઠાવતા. અભ્યાસ કરવાથી તે એમની જાતે જ ઉપર ઉઠવા માંડે છે.

ફરી સામાન્ય સ્થિતિમાં આવવા માટે ઝટકાથી પગને જમીન પર ન મૂકો અને માથાને એકદમ ઉપર ન ઉઠાવો. પગને વારાફરતી જમીન પર મૂકો પછી માથાને હાથના પંજાની વચ્ચે થોડીવાર સુધી મૂકી રાખ્યા પછી જ વજ્રાસનમાં આવો.
W.D

જેમણે માથુ, મેરુદંડ, પેટ વગેરેમાં કોઈ ફરિયાદ હોય તો આ આસન બિલકુલ ન કરો.

લા ભ : આનાથી પાચનતંત્રને લાભ મળે છે. આનાથી મગજનો રક્ત સંચાર વધે છે, જેથી સ્મરણ શક્તિ મજબૂત થાય છે. હિસ્ટીરિયા અને અંડકોષ વૃધ્ધિ, હર્નિયા, કબજિયાત વગેરે રોગો દૂર થાય છે. સમય પહેલા વાળ ખરવા અને સફેદ થવાની સમસ્યાને દૂર કરે છે.

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

Show comments