Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોળ ચોથ - તમારા બાળકોને ખુશ જોવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય

Updated: ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (08:56 IST)
મિત્રો આજે ઓગસ્ટ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે.  આજે અમે આપને બતાવી રહ્યા છે બોળ ચોથનુ મહત્વ અને રાશિ મુજબ ઉપાય વિશે માહિતી.. આજે  શ્રી સંકષ્ટ ગણેશ ચતુર્થી અને બહુલા બૉળ ચોથ વ્રત કરવાનુ વિધાન છે. આ દિવસે  ગાય માતાને વિશેષ રૂપથી સન્માનિત કરવી જોઈએ અને બાફેલા જવ જરૂર ખવડાવવા  જોઈએ. આ ઉપરાંત દરેક વ્યક્તિ પોતાની સંતાનની સુરક્ષા અને ખુ
શી માટે આજના દિવસે વ્રત કરવુ જોઈએ 
 
 આ ઉપરાંત ચન્દ્રમાંને અર્ધ્ય આપો 
ગાય માતાનુ દૂધ અને તેનાથી બનેલી વસ્તુઓનુ સેવન ન કરો 
ઘઉ અને ચોખાથી બનેલી વસ્તુઓ ન ખાશો 
શ્રીગણેશ અને ગાય માતાને જવ અને સત્તુનો ભોગ લગાવો 
 
આ ઉપરાંત આજે બોળ ચોથના દિવસે આપની રાશિ મુજબ આ ઉપાય જરૂર કરો 
 
બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ શાકભાજી પણ સુધારતી નથી, ગાય-વાછરડાનું પૂજન કરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.

 

વધુ જુઓ..

કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વતંત્રતા દિવસ પર બાળકો માટે સ્વસ્થ ત્રિરંગા ચાટની રેસિપી બનાવો

ડાયાબિટીસ ક્યારે જીવલેણ બની જાય છે, જાણો વિશેષજ્ઞ મુજબ કઈ બેદરકરીઓને કારણે વધે છે સંકટ

Tri Colour Dhokla Recipe- તિરંગા ઢોકળા

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments