Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (11:05 IST)
ચંદ્ર ગ્રહણના દિવસે સૂતક-કાળનુ વિશેષ મહત્વ માનવામાં આવ્યુ છે. વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ ચન્દ્ર ગ્રહણ છે.  આ ચંદ્ર ગ્રહણ 31 જાન્યુઆરી 2018(બુધવાર)ના રોજ લાગી રહ્યુ છે.  
 
દિલ્હીમાં આ ચન્દ્ર ગ્રહણ 5.55થી લઈને 8.41 સાંજ સુધી રહેશે.  આ ચન્દ્ર ગ્રહણમાં સૂતક સવારે 8 વાગીને 18 મિનિટથી શરૂ થઈ જશે.  શાસ્ત્રોના મુજબ ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ દેખાતા સૂતક માન્ય હોય છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા સમય થાય છે જ્યારે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કારણે ઘટના-દુર્ઘટના થવાની શક્યતા બની રહે છે. શાસ્ત્રો મુજબ સૂતકના સમયે આ કાર્યોને ન કરવા જોઈએ. 
 
શુ ન કરે 
 
સૂર્ય ગ્રહણ દરમિયાન ટોયલેટ ન જશો. પણ ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિ પર આ નિયમ લાગૂ થતો નથી. 
 
સૂતકમાં ભોજન ન કરો. દૂધ, ફળ, જ્યુસ કે સાત્વિક ભોજન કરી શકો છો. ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો બાળકો અને બીમાર વ્યક્તિ પર આ નિયમ લાગૂ નથી થતો અને એ દરમિયાન ફળ, જ્યુસ, પાણીનું સેવન કરી શકો છો. 
 
સૂતક દરમિયાન ભોજન ન બનાવો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ ચપ્પુથી કંઈ પણ ન કાપે 
 
- સૂતકમાં સિલાઈ-ભરતકામ ન કરવું .. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ. 
 
- ચન્દ્ર ગ્રહન ન જુઓ. ખાસ કરીને ઉઘાડી આંખોથી ક્યારેય ન જોશો. 
 
- ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરો. 
 
- વ્યસનથી દૂર રહો. અપરાધ ખરાબ કામ...ખરાબ વિચાર અને ખોટુ બોલવાથી દૂર રહો. કારણ કે આ સમયે કરવામાં આવેલ ખરાબ કાર્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે.  
 
- સૂતકના સમયે શારિરીક સંબંધ ન બનાવવા જોઈએ 
 
શુ કરવુ જોઈએ 
- ગ્રહણ પછી ઘી અને ખીરથી હવન કરો. તેનાથી તમને લાભ અને લાંબા રોગથી છુટકારો મળશે. 
- જો ચંદ્રમા નિર્બળ છે તો "ૐ ચન્દ્રાય: નમ" મંત્રનો જાપ કરો. 
- પિતૃ દોષ નિવારણ માટે પણ સૂર્ય ગ્રહણનો સમય યોગ્ય રહે છે. 
- ગ્રહણ સમયે જો તમારી કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર દોષ છે તો આ સમયે ગ્રહણ સંબંધી ઉપચાર માટે યોગ્ય છે. 
- જો તમે કોઈ તીર્થ સ્થળ પર છો તો ત્યા સ્નાન કરી જાપ અને દાન કરો. 
- ગ્રહણ ઉપરાંત સ્નાન કરી યથાસંભવ કોઈ ગરીબને દાન કરો તમને તેનો લાભ મળશે. 
 
વિશેષ 
 
- ગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવા નિષેદ છે.  તેથી સૂતક પહેલા તોડી લો. 
- દૂધ અને દહીમાં પણ તુલસીનુ પાન નાખી દો. 
- જો કંઈક વિશેષ ભોજન છે જે તમે ફેંકવા નથી માંગતા તો તેમા સૂતક પહેલા તુલસીનુ પાન નાખી દેવાથી સૂતકની અસર થતી નથી. 
 

વધુ જુઓ..

નાસ્તામાં બનાવો ટેસ્ટી મખાના ચાટ, દહીં સાથે મિનિટોમાં તૈયાર થશે, તરત નોંધી લો સરળ રેસીપી

જાંબુને કહેવામાં આવે છે અમૃત ફળ, જાણો તેના ફાયદા અને કઈ બિમારીઓમાં જરૂર કરવું જોઈએ આનું સેવન ?

ચાટનો સ્વાદ બમણો કરશે આ લીલી અને ખજૂર-આમલીની ચટણી, ઝટપટ નોંધી લો રેસીપી

કાઠિયાવાડી લસણની ચટણી

ઈબોલા વાયરસ શુ છે ? જાણો તેના લક્ષણો અને બચાવ તેમજ ઉપચાર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Sankashti Chaturthi June 2026: જૂનમાં આ તારીખે છે વિભુવન સંકષ્ટી ચતુર્થી, અઢી વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, દૂર થશે બધા કષ્ટ

પુરુષોત્તમ માસની કથા આધ્યાય 7 - Purushottam Maas Katha Adhyay 7

પુરુષોત્તમ માસ અધ્યાય - 6 : દુઃખ નિવેદન

આગળનો લેખ
Show comments