સંબંધિત સમાચાર
- Hindu Sanatan Dharm- દેવી સીતા વિશે જાણો રોચક અને અજાણી વાતો
- પત્નીઓએ રાખવું જોઈએ આ વાતોનું ધ્યાન, લખ્યું છે શિવપુરાણમાં see video)
- મંગળને હનુમાન પૂજાનો શું છે કારણ અને શા માટે ચઢાવાય છે આ ત્રણ વસ્તુઓ
- કરોળિયાના આ રીતે જોવા શું કહે છે , શુભ થશે કે અપશકુન
- ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત
માઘી પૂર્ણિમાના દિવસે માત્ર 1 ઉપાય થી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને
ધર્મ શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખાસ શુભદાયી ગણાયું છે. આ બધા પૂર્ણિમામાં માઘી પૂર્ણિમા(આ વખતે 31 જાન્યુઆરી બુધવારે)ના મહ્ત્વ વધારે છે. આ દિવસે ખાસ કરીને ધનની દેવી માતા લક્ષ્મી શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે અને પણ બીજા ઉપાયો કરવાથી શુભ ફળ મળે છે.
1. માઘી પૂર્ણિમા માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ તિથિ ગણાય છે, પૂર્ણિમા રાત્રે આશરે 12 વાગ્યે મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરો અને રાત્રે ઘરના મુખ્ય બારણા પર ઘી નો દીપક લગાડો.આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને એ ઘરમાં નિવાસ કરે છે.
2. માઘી પૂર્ણિમાના દિવસે વિધિ-વિધાનથી માતા સરસ્વતીની પૂજા પણ કરાય છે. આ દિવસે માતા સરસ્વતીને સફેદ ફૂલ ચઢાવો અને ખીરના ભોગ લગાડો. વિદ્યા, બુદ્ધિ આપતી દેવી આ ઉપાયથી ખાસ પ્રસન્ન હોય છે.
3. પિતૃના તર્પણ માટે પણ આ દિવસ ઉત્તમ ગણાય છે. આ દિવસે પિતૃના નિમિત્ત જળદાન, અન્નદાન ભૂમિદાન વસ્ત્ર દાન અને ભોજન પદાર્થ દાન કરવાથી તૃપ્તિ હોય છે. જોડા સાથે બ્રાહ્મણને ભોજન કરાવવાથી અન્નત ફળની પ્રાપ્તિ થાય છે.
4. આમ તો બધા પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની પૂજા હોય છે, પણ માઘ માસની પૂર્ણિમા પર એનું મહત્વ જણાવ્યા છે. સાંજે સત્યનારાયણની પૂજા કરી ધૂપ-દીપ-નૈવેદ્ય અર્પણ કરો અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળો.
5. માઘી પૂર્ણિમા પર દાનનો ખાસ મહત્વ છે. ધર્મ ગ્રંથો મુજબ આ દિવસે જરૂરિયાતને તલ, ધાબડો, રૂ, ગોળ, ઘી, મોદક , જૂતા , ફળ, અન્ના વગેરે દાન કરવું જોઈએ.