Festival Posters

એકાદશી પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી

મંગળવાર, 9 માર્ચ 2021 (15:55 IST)
હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે  આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે.  જો તમને અનેક પ્રયસો પછી પણ સફળતા ન મળી રહી હોય તો એકાદશીન દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારુ ભાગ્ય બદલાય શકે છે. 
તો આવો જાણીએ આ ઉપાયો  
 
- અગિયારસને સાંજે તુલસી સામે ગાયના ઘી નો દીવો લગાવો અને ૐ વાસુદેવય નમ મંત્ર બોલતા તુલસીની 11 પરિક્રમા કરો. તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે અને સંકટ નથી આવતુ. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુની પીળા ફુલ જરૂર અર્પિત કરો.  તેનાથે તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. 
 
- એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરમાં તુલસીના પાન નાખીને ભોગ લગાવો. તેનાથી ઘરમાં શાંતિ કાયમ રહે છે. 
 
- એકાદશી પર પીળા રંગના ફુલ કપડા અને અનાજ ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પછી આ બધી વસ્તુઓ ગરીબોને દાન કરી દો 
 
- એકાદશી પર પીપળના વૃક્ષ પર જળ ચઢાવો. પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. એકાદશી પર પીપળાના વૃક્ષ પર જળ ચઢાવવાથી કર્જથી મુક્તિ મળે છે. 
 
- અગિયારસના દિવસે સુહાગન સ્ત્રીને તમારી ઘરે બોલાવીને તેમને ફળાહાર કરાવો અને તેમને સુહાગની સામગ્રી ભેટ કરો 
 
- ધન લાભ માટે એકાદશી પર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- એકાદશીની સવારે સ્નાન વગેરે પછી ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસર મિશ્રિત દૂધથી અભિષેક  કરો. શ્રીમદ્દ ભાગવત કથાનો પાથ કરવાથી પણ વિષ્ણુ પ્રસન્ન થાય છે 
 
- એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાથી પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી ધન લાભ થાય છે. 

વધુ જુઓ..

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments