Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mokshada Ekadashi 2024: મોક્ષદા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો એકાદશી વ્રતનાં નિયમો

શનિવાર, 7 ડિસેમ્બર 2024 (10:32 IST)
Mokshada Ekadashi 2024: દર વર્ષે માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ મોક્ષદા એકાદશીનું વ્રત રાખવાની પરંપરા છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 11 ડિસેમ્બર 2024ના રોજ મનાવવામાં આવશે. મોક્ષદા એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. એટલું જ નહીં, વ્યક્તિને તેના તમામ પાપોમાંથી મુક્તિ પણ મળે છે. પરંતુ એકાદશી વ્રતના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર તમારી પૂજા નિષ્ફળ થઈ શકે છે. તો ચાલો જાણીએ મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
 
મોક્ષદા એકાદશીના દિવસે આ નિયમોનું પાલન કરો
 
મોક્ષદા એકાદશીના દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરીને ઉપવાસ શરૂ કરો.
એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને સ્નાન વગેરે કરવું. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરો.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો.
એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુને પીળા ફૂલ, કેળા, નારિયેળ, પંચામૃત, તુલસી વગેરે પૂજા સામગ્રી અર્પણ કરો.
મોક્ષદા એકાદશીના દિવસે એકાદશી કથાની સાથે ગીતાનો પણ પાઠ કરો.
એકાદશી વ્રતના દિવસે સાંજે પૂજા-આરતી પછી જ ફળ ખાઓ.
મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો.
એકાદશીના દિવસે સાત્વિક ભોજનનું જ સેવન કરવું.
 
એકાદશીના દિવસે આ કામ ન કરવું
 
એકાદશી વ્રતના દિવસે તામસિક વસ્તુઓ (ડુંગળી, લસણ, માંસ અને દારૂ) નું સેવન ન કરવું.
એકાદશીના દિવસે ચોખા અને ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ છે.
દશમી તિથિના દિવસથી ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન ન કરવું.
એકાદશીના દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો કે કોઈની સાથે વાદ-વિવાદ ન કરો.

વધુ જુઓ..

50 પ્લસ વાળી મહિલાઓએ વજન ઘટાડવા માટે રોજ કેટલું ચાલવું જોઈએ ? આટલા સ્ટેપ્સ ચાલવાથી થશે વેટ લોસ

આ રીતે બનાવો ચટપટી પાવ- ભાજી- Pav Bhaji

Pregnancy Test માં એક રેખા Dark હોય અને બીજી ઝાંખી હોય તો તેનો શું અર્થ થાય છે? નિષ્ણાતો પાસેથી જાણો.

કેરીની ગરમી ઓછી કરવા માટે આ સરળ ટિપ્સનો ઉપયોગ કરો

Watermelon Kulfi Recipe - માત્ર 10 મિનિટમાં ઠંડી તરબૂચ કુલ્ફી

વધુ જુઓ..

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -14 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

Ekadashi Upay: દરેક કામમાં આવી રહ્યો છે અવરોધ ? અપરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, બધા દુઃખ થશે દૂર

હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું

આગળનો લેખ
Show comments