Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

રવિવાર, 1 ફેબ્રુઆરી 2026 (10:08 IST)
Guru Ravidas Jayanti  હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 1 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા. તેમની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ભજન અને કીર્તન ગાઈને તેમને યાદ કરવામાં આવે છે. તેઓ સંત રવિદાસ, ગુરુ રવિદાસ, રૈદાસ અને રોહિદાસ જેવા ઘણા નામોથી જાણીતા છે. સંત રવિદાસે લોકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના એકબીજાને પ્રેમ કરવાનું શીખવ્યું અને આ રીતે તેઓ ભક્તિના માર્ગે ચાલીને તેઓ  સંત રવિદાસ તરીકે ઓળખાયા.
 
સંત રવિદાસની જન્મજયંતિ પર તેમના દ્વારા અપાયેલા આપેલા અણમોલ વચન વાંચો, આ જીવન જીવવાનો યોગ્ય માર્ગ બતાવે છે  
 
ભગવાન એ હ્રદયમાં વસે છે જેના મનમાં કોઈના પ્રત્યે વેરભાવ નથી, કોઈ લાલચ  કે દ્વેષ નથી.
 
 
જોરદાર પવનને કારણે સમુદ્રના મોજાઓ ઉછળીને સમુદ્રમાં જ ભળી જાય છે, તેમનું કોઈ અલગ અસ્તિત્વ નથી હોતું. ઈશ્વર વિના મનુષ્યનું અસ્તિત્વ જ નથી.
 
જે બ્રાહ્મણ ગુણોથી રહિત હોય તેની પૂજા ન કરો.
ચાંડાલના ચરણોમાં ગમે તેટલા ગુણ હોય તેની પૂજા કરો.
 
કાર્ય કરવું એ આપણો ધર્મ છે, પરિણામ મેળવવું એ આપણું સૌભાગ્ય છે
 
સબ ચંગા તો કઠરોટ મેં ગંગા 

વધુ જુઓ..

કાઠિયાવાડી સરગવાનું શાક

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

10 Motivational Quotes in Gujarati : હાર પછી પણ જીતતા શીખવાડે છે મહારાણા પ્રતાપના જીવનની આ 10 પ્રેરણાદાયક વાતો

સોજી ચિલી રિંગ્સ રેસીપી: કરકરી, મસાલેદાર અને સ્વાદથી ભરપૂર નાસ્તો

Protein Foods: શાકાહારી લોકોમાં નહી રહે પ્રોટીનની કમી, જાણો આ માટે શું ખાવું જોઈએ

વધુ જુઓ..

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

આગળનો લેખ
Show comments