Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્રતોનું વૈજ્ઞાનિકરણ - જાણો કેમ કરવામાં આવે છે કેવડાત્રીજનુ વ્રત

મંગળવાર, 26 ઑગસ્ટ 2025 (00:17 IST)
ભાદ્રપદ શુક્લ પક્ષની તૃજિયા એ અવિવાહિત અને વિવાહિત મહિલાઓ મનપસંદ પતિ, પતિના દીર્ઘાયુષ્ય અને સુખદ વૈવાહિક જીવન જેવી પૌરાણિક માન્યતાઓ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત કેવડા ત્રીજનું વ્રત કરે છે. સનાતન સંસ્કૃતિમાં માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ તે પ્રકૃતિ, સમાજ અને વ્યક્તિના આરોગ્ય સાથે પણ જોડાયેલું છે.
 
કેવડા ત્રીજ ઉજવવાનો, પોતાનો વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. વ્રત શરૂ કરતા સમયે દહીં-ચૂરો ખવાય છે જેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને જરૂરી વિટામિન હોય છે, જે વ્રત દરમિયાન શરીરને સહારો આપે છે. મનોજૈવિક દૃષ્ટિકોણથી ઉપવાસ, પૂજા અને વ્રત કરવાથી મગજમાં ડોપામિન તથા સેરોટોનિન જેવા હોર્મોન્સનું સંતુલન સુધરે છે, જેનાથી મન પ્રસન્ન રહે છે.
 
વ્રતમાં સ્ત્રીઓ હાથથી પગ સુધી સજસજાવટ કરે છે, નૃત્ય, ગીત, વાદ્ય અને શિવ-પાર્વતીની પૂજા કરે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો પૂજામાં અર્પિત કરવામાં આવતા ફૂલ-પાંદડાઓથી મહિલાઓને ઔષધીય છોડનો પરિચય કરાવવા માટે તે સમયના સમાજે આ તહેવારની શરૂઆત કરી હશે. ચોમાસા પૂર્ણ થયા પછી જ્યારે વાત, પિત્ત અને કફ ત્રિદોષોમાં અસંતુલન વધે છે, ત્યારે ઉપવાસ પાચન તંત્રને આરામ આપે છે. આ તહેવારે સ્ત્રીઓ દ્વારા લગાવાતી મહેંદી ત્વચાને ફૂગ અને બેક્ટેરિયાના ચેપથી બચાવે છે તથા શરીરને ઠંડક પણ આપે છે. સનાતન સંસ્કૃતિમાં દરેક તહેવાર માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ માણસને પ્રકૃતિ અને સમય સાથે સંતુલન જાળવવાની કળા શીખવે છે.
 
કેવડા ત્રીજના બીજા જ દિવસે આવતો ગણેશ ચતુર્થીનો તહેવાર સામૂહિક મિલનની પરંપરા છે. ઇતિહાસના પાનાઓમાં નજર કરીએ તો ખબર પડે છે કે ગણેશ ચતુર્થી ભગવાનનો જન્મદિવસ ઉજવવા માટે નહીં, પરંતુ સમુહોને એકત્ર કરવા માટે કરવામાં આવી હતી. તે સમયના અંગ્રેજ શાસને મોટા સમૂહોને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બહાને લોકો ભેગા થવા લાગ્યા, જનજાગૃતિ ફેલાઈ અને સ્વાતંત્ર્ય આંદોલનને નવી ચેતના મળી.
 
પ્રકૃતિની દૃષ્ટિએ જોવામાં આવે તો આ સમય જળાશયોમાં તાજું પાણી રહે છે અને માટીમાં ભેજ પણ રહે છે. ગણેશજીની માટીની મૂર્તિ બનાવી, પૂજા કરી અને પછી તેને જળમાં વિસર્જિત કરવી એ પ્રકૃતિના ચક્રને દર્શાવે છે. તેમાંથી સમજાય છે કે – “પ્રકૃતિમાંથી જે લેવાય છે તે ફરી પ્રકૃતિમાં જ વિલય પામે છે.” ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ સામૂહિકતાનું પ્રતિક છે. વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે આવા તહેવારોમાં ભાગ લેતા આનંદ, વિશ્વાસ અને સામાજિક જોડાણ મજબૂત થાય છે. પરિવાર અને પડોશીઓ મળીને ગણેશ સ્થાપના, પૂજા અને વિસર્જન કરે છે, જે સામૂહિકતા, પ્રકૃતિનું સંતુલન, માનસિક પ્રસન્નતા અને ઐતિહાસિક ચેતનાને જીવંત રાખે છે.
 
હવે આગળના તહેવારની વાત કરીએ તો તે છે ઋષિ પંચમી, જે ગણેશ ચતુર્થીના બીજા દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ઋષિઓના જ્ઞાન, તપ તથા સમાજને આપેલા માર્ગદર્શનોની સ્મૃતિમાં સમર્પિત છે.
 
ધાર્મિક રીતે આ દિવસે મહિલાઓને સર્વપ્રથમ અપામાર્ગ (ચિરચીંટા)ની દાંડીથી સ્નાન કરવા કહેવામાં આવ્યું છે. તે ન મળે તો તુલસી, દુર્વા ઘાસ, બેલપત્ર કે અડૂસા પણ લઈ શકાય છે. સનાતન સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે વૃક્ષો-પાંદડા દેવસ્વરૂપ છે અને તેમાથી સ્નાન કરવું એ પ્રકૃતિ પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ લીલાં ડાળખાંમાં ઔષધીય ગુણ હોય છે. જ્યારે મહિલાઓ તેનો ઉપયોગ કરે છે, ત્યારે ત્વચા પર હળવી મસાજથી રક્તસંચાર સુધરે છે અને ત્વચા રોગોથી પણ બચાવ થાય છે.
 
વ્રત અને ઉપવાસનું પણ ઊંડું વૈજ્ઞાનિક આધાર છે. ઋતુ પરિવર્તનના આ સમયમાં પેટને હળવું રાખવું અને ફળાહાર કરવો પાચન તંત્રને સારું કરે છે. ઋષિ પંચમી એ સંદેશ આપે છે કે જીવનમાં ઋષિઓ દ્વારા જણાવેલા ધર્મ, સંયમ અને પ્રકૃતિ સાથેના જોડાણને ભૂલવું નહીં.
 
આ ત્રણેય તહેવારોમાં એક ઊંડો સામ્ય છે – બધા પ્રકૃતિ, શરીર અને મનના સંતુલનની વાત કરે છે, *‘વ્રત’*ના માર્ગથી. વ્રત દ્વારા શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે. આ તહેવારો આરોગ્યપ્રદ, સંયમિત અને સામૂહિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.
 
- હસ્તી પટેલ

વધુ જુઓ..

ગૌરી વ્રત સ્પેશલ રેસીપી - ખારી ભાજીની લીલી પૂરી

ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ કઢાઈ ચિકન, સ્વાદ એવો કે આંગળીઓ ચાટી જશો

Vrat Special- કેસર-ડ્રાઈ ફ્રૂટ રબડી

શું ચોમાસાની ઋતુમાં દહી ન ખાવુ જોઈએ ?

ચોમાસામાં લાઈટ ચાલુ કરતાં જ ઘરમાં ભરાઈ જાય છે પાંખવાળા કીડા? આ રહ્યા તેને ભગાડવાના અચૂક ઘરેલું ઉપાયો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

આગળનો લેખ
Show comments