Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે કરશો આ કામ તો શનિ થશે પ્રસન્ન

Updated: શનિવાર, 18 ઑગસ્ટ 2018 (11:06 IST)
શનિદેવને કર્મફળદાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જો શનિ દેવ રિસાય જાય તો રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી દે છે. તેમને ખુશ કરવા માટે લોકો દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે.  તેમનો દિવસ શનિવાર છે તેથી આ દિવસે કરવામાં આવેલ કાર્ય પૂર્ણ સાવધાની સાથે કરવા જોઈએ. કારણ કે શનિદેવ જેટલા વધુ પ્રસન્ના થશે તેટલુ જ ફળદાયી પરિણામ મળશે. 

તો આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાય.... 
 
જો તમે શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. .. તેથી જો આપ શનિવારનો ઉપવાસ કરો છો કે શનિવારે શનિ પૂજા કરો તો કાળા કપડા વસ્ત્ર જરૂર પહેરો 
 
સરસવના તેલમાં લોખંડની ખીલ્લી નાખીને પીપળાની જડમાં તેલ ચઢાવવાથી શનિદેવ જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની મનોકામના પૂરી કરે છે. આ ઉપરાંત જ્યારે પણ શનિવારના દિવસે તેલ દાન કરો તો તેમા તમારો પડછાયો જરૂર જુઓ. પડછાયો જોયા પછી જ તેનુ દાન કરો. 
 
આ દિવસે કાળા કૂતરા અને કાગડાને તેલ લગાવેલી રોટલી અને ગુલાબ જાંબુ ખવડાવવાથી લાભ થાય છે. 
 
શનિવારના દિવસે શનિદેવનુ વ્રત મહિલા અથવા પુરૂષ કોઈપણ કરી શકે છે. સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ કે શમીના ઝાડ નીચે ગોબરથી લીપી લો અને તે બેદી બનાવીને કળશ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો. શનિદેવની પ્રતિમાને કાળા પુષ્પ, ધુપ, દીપ અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો. પીપળાના ઝાડને સૂતરના દોરા લપેટતા સાત વાર પરિક્રમા કરો અને સાથે જ ઝાડની પણ પૂજા કરો. ત્યારબાદ હાથમાં ચોખા અને ફુલ લઈને ભગવાન શનિદેવની વ્રત કથા સાંભળો અને પૂજા પુરી થયા પછી પ્રસાદ સૌ વચ્ચે વહેંચી દો. 
 
 
મહિનના પ્રથમ શનિવારે અડદનો ભાત ... બીજા શનિવારે ખીર...... ત્રીજા શનિવારે ખજલા અને અંતિમ શનિવારે ઘી અને પુરીથી શનિદેવને ભોગ લગાવો.  જ્યોતિષ અને વાસ્તુ વિશેષજ્ઞનુ કહેવુ છે કે શનિદેવની મૂર્તિ ઘરે નહી મુકવી જોઈએ. 
 

વધુ જુઓ..

સાંજની ભૂખ સંતોષવા માટે Garlic સ્વીટ કોર્ન સૂપ બનાવો, તેનો સ્વાદ એવો છે કે તમે તેને વારંવાર બનાવવાનું મન કરશો, રેસીપી નોંધી લો.

શ્રાવણ સ્પેશિયલ: મહિલાઓ માટે ટ્રેન્ડી ડ્રેસ અને મેકઅપ લુક, પૂજાથી લઈને કિટી પાર્ટી સુધી દેખાશો સૌથી સુંદર

બ્લેક કોફી ડિપ્રેશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, જાણો દરરોજ પીવાના ફાયદા

Nag Panchami Prasad Recipe: નાગ પંચમી પર પ્રસાદ તરીકે આ મીઠાઈઓ ચઢાવો, સરળ રેસીપી નોંધી લો

કોર્ન કટલેટ બનાવવાની રીત

વધુ જુઓ..

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

આગળનો લેખ
Show comments