Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vinayaka Chaturthi 2023- અધિક માસનીની વિનાયક ચતુર્થી

શુક્રવાર, 21 જુલાઈ 2023 (10:02 IST)
Vinayaka Chaturthi 2023- વિનાયક ચતુર્થી શુભ મુહૂર્તા 2023 -ભગવાન શ્રી ગણેશની ઉપાસના માટે શુભ સમય- 21 જુલાઈ અધિક માસનીની વિનાયક ચતુર્થી છે.
 
 વિનાયક ચતુર્થીની તિથિ ભગવાન શ્રી ગણેશની તિથિ છે. હિન્દુ ધર્મગ્રંથોના મુજબ શ્રી ગણેશની કૃપાથી જીવનના બધા અશકય કાર્ય પણ શક્ય થઈ જાય છે. શાસ્ત્રોના મુજબ અમાવસ્યા પછી 
આવતી શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે. પુરાણો મુજબ શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી અને કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહે છે. આ વખતે વિનાયક ચતુર્થી 21 જુલાઈ ને ઉજવાશે આવો 
જાણી ભગવાન ગણેશની પૂજા વિધિ
દર મહીનના શુક્લ પક્ષમાં આવતી વિનાયકી ચતુર્થી વ્રત કહે છે. આ ચતુર્થી ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ દિવસે શ્રી ગણેશની પૂજા બપોરે- મધ્યાહમમાં કરાય છે. આ દિવસે શ્રીગણેશના પૂજન અર્ચન 
કરવો લાભાદાયી ગણાય છે. આ દિવસે ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ -સમૃદ્દિ, ધન-ધાન્ય, આર્થિક સંપન્નતાની સાથે સાથે -જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ પણ હોય છે. 
ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા કહેવાય છે. વિઘ્નહર્તા એટલે તમારા બધા દુખોને દૂર કરનાર. તેથી ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે  વિનાયક ચતુર્થી અને સંકષ્ટી ગણેશ ચતુર્થીનો વ્રાત કરાય હ્હે. આવો 
જાણીએ કેવી રીતે કરીએ વિનાયક ચતિર્થીનો પૂજન 
 
* બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠીને દૈનિક કર્મથી પરવારીને, લાલ રંગના કપડાં પહેરો.
* બપોરની પૂજા સમયે શક્તિ અનુસાર સોના, ચાંદી, પિત્તળ, તાંબુ, માટી અથવા સોના અથવા ચાંદીની બનેલી ગણેશ મૂર્તિ સ્થાપિત કરો.
* સંક્લ્પ પછી, ષોડશોપચાર પૂજન કરી શ્રી ગણેશની આરતી કરવી. 
* શ્રી ગણેશની મૂર્તિ પર સિંદૂર ચઢાવો.
* હવે ગણેશના પ્રિય મંત્ર- 'ઓમ ગણ ગણપતયે નમ' 'નો જાપ કરતી વખતે 21 દુર્વા અર્પિત કરો. 
* શ્રી ગણેશને બુંદીના 21 લાડુના ભોગ લગાડો. તેમાંથી  5 લાડુઓ બ્રાહ્મણને દાન કરો અને 5 લાડુ શ્રી ગણેશના ચરણોમાં રાખો અને બાકીના પ્રસાદ તરીકે વહેચી દો. 
* પૂજનના સમયે શ્રી ગણેશ સ્તોત્ર, અથર્વશીર્ષ, સંકટનાસક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
* બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. જો તમારી પાસે શક્તિ હોય, તો ઉપવાસ કરો અથવા સાંજે પોતે ભોજન કરો. 
*  સાંજે ગણેશ ચતુર્થી કથા, ગણેશ સ્તુતિ, શ્રી ગણેશ સહસ્ત્રનામાવલી, ગણેશ ચાલીસા, ગણેશ પુરાણ વગેરેની પૂજા કરો. સંકટશન ગણેશ સ્તોત્રના પાઠ કરીને શ્રી ગણેશની આરતી
અને 'ઓમ ગણેશાય નમ.' મંત્રનો જાપ કરો.
 

વધુ જુઓ..

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ટિપ્સ, આ અપનાવી લેશો તો બીમારીથી રહેશો સુરક્ષિત

નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.

Fathers Day 2026- પપ્પાને ખુશ રાખવા માટે કરો આ 5 નાની-નાની વાતો

Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.

અષાઢી બીજ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments