Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોજ સવારે ઉઠીને કરો આ 7 કામ, તમને દરેક કાર્યમાં સફળતા મળશે

શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2021 (06:19 IST)
દરેક કોઈ પોતાના દિવસની શરૂઆત સારી રીતે કરવા માંગે છે. જેથી તેમનો આખો દિવસ સારો રહે. આ માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવ્યા છે જેને કરવાથી તમારા દિવસની શુભ શરૂઆત થશે અને તેને જીવનમાં અપનાવી લેવાથી ઘણા ફાયદા પણ થશે તો આવો જાણીએ રોજ સવારે શુ કરવુ જોઈએ. 
 
1, સૌ પ્રથમ, વહેલી સવારે જલ્દી ઉઠો 
 
 જો તમે વહેલી સવારે ઉઠો છો, તો પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો, તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે, તમારે સૂર્યોદય થતાંની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ.
 
2. તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીવું જોઈએ.
 
તમારે દરરોજ સવારે ઉઠીને  તાંબાનાં વાસણમાં મુકેલું પાણી પીવું જોઈએ, તમારે રાત્રે તે તાંબાનાં વાસણમાં ભરી લેવું જોઈએ, જેથી સવારે તમે પાણી પી શકો, જે પેટને લગતા દરેક રોગને મટાડશે, પરંતુ એક વાત ધ્યાન રાખજો કે તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ.
 
3  રોજ યોગ અને ધ્યાન કરો
 
લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ, જેથી તમે તમામ પ્રકારના રોગોથી બચી શકો, ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે, યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે. તમને ઘણી મદદ મળશે.
 
4 રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવો 
 
શાસ્ત્રોમાં વર્ણવ્યુ છે કે જે  લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે, તે લોકો સમાજમાં માન-સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે.
 
5 તુલસીને જળ ચઢાવો 
 
તમારે દરરોજ સવારે ઉઠીને તુલસીને જળ ચઢાવવું જોઈએ, જેથી તમારા પર દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે.   શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય છે અને જે લોકો તુલસીની દેખરેખ કરે છે તેમને ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે કાયમ રહે છે. 
 
6 તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરો
 
તમારે તમારા ઘરના મંદિરમાં દરરોજ પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ-દીપ અગરબત્તી પ્રગટાવવી જોઈએ. જેના ધુમાડાથી વાતાવરણમાં શુદ્ધ  થશે અને નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થઈ જશે.
 
7 ઘરમાંથી નીકળતા પહેલા દહીનુ સેવન જરૂર કરો 
 
તમારે રોજ ઘર છોડતા પહેલા થોડુ  દહીંનું સેવન કરવું જોઈએ, જેથી તમારા કામમાં અવરોધ ન આવે અને તે શુભ માનવામાં આવે છે.
 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

આગળનો લેખ
Show comments