Webdunia - Bharat's app for daily news and videos

Install App

યૂરિક એસિડને યૂરિન દ્વારા ગાળીને બહાર કાઢી નાખે છે અજમો, કબજિયાતમાં પણ મળે છે આરામ, જાણો કેવી રીતે કરશો સેવન ?

સોમવાર, 24 જૂન 2024 (00:16 IST)
ajwain upay
આજકાલની બદલતી જીવનશૈલીમાં યુવાથી લઈને અઘેડ વયના લોકો દરેક કોઈ લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલ બીમારીઓના શિકાર થઈ રહ્યા છે. યૂરિક એસિડમાં એક લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલ ગંભીર બીમારી છે. ઉલ્લેખનીય છે કે આ ગઠિયાનુ એક જટિલ રૂપ છે. જેમા શરીરમાં યૂરિક એસિડ ક્રિસ્ટલ જમા થઈ જાય છે. જે ખાસ કરીને સાંધાને પ્રભાવિત કરે છે.  યૂરિક એસિડ શરીર દ્વારા પ્યુરીનને તોડવા પર બને છે. જ્યારે શરીરમાં તેનુ લેવલ વધી જાય છે તો શરીરમાં શુગર, ગઠિયા, દિલ અને કિડની સાથે જોડાયેલ બીમારીઓની સંભાવનાઓ વધી જાય છે.  આવામાં યૂરિક એસિડને લેવલને કંટ્રોલ કરવુ જરૂરી છે.
 
અજમાથી કંટ્રોલ થાય છે યૂરિક એસિડ  (Uric acid is controlled by celery)
અજમો એક એવો મસાલો છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે.. તેનો કાઢો શિયાળામાં શરદી ખાંસીમાં ખૂબ અસરદાર માનવામાં આવે છે.  બીજી બાજુ યૂરિક એસિડને પણ ઝડપથી કંટ્રોલ કરે છે.. અજમામાં રહેલા પોષક તત્વો જેવાકે આયરન, મૈગનીઝ, કેલ્શિયમ અને બાયોએક્ટિવ ગાઉટને ઠીક કરવામાં મદદ કરે છે.  તેમા લ્યૂટિયોલિન, 3 એન બ્યૂટિલફથાલાઈડ અને  બીટા સેલિંનીન યૌગિક જોવા મળે છે. જે લોહીમાં યૂરિક એસિડના સ્તર અને સોજાને ઓછો કરે છે. 
 
યૂરિક એસિડ પેશેંટ આ રીતે કરે અજમાનુ સેવન - (how to use celery in uric acid )
યૂરિક એસિડથી પીડિત દર્દીઓએ રોજ ખાલી પેટ અજમાનો પાણી પીવુ જોઈએ. સૂતા પહેલા એક ગ્લાસમાં એક ચમચી અજમો નાખીને તેને આખી રાત પલાળીને મુકી દો. સવારે આ પાણીને ગાળીને પી લો. આ ઉપરાંત અજમા સથે આદુને મિક્સ કરીને પણ ખાઈ શકો છો. 
 
અજમાના સેવનથી આ પરેશાની પણ થશે દૂર -  (These problems will also be overcome by consuming celery) 
 
પેટની સમસ્યા - એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે પણ અજમો લાભકારી છે. 
 
સાંધાના દુખાવામાં આરામ - જો જોઈંટ્સમાં ખૂબ વધુ દુખાવો છે તો તમે તેનુ સેવન કરો. અજમામા રહેલ એંટી ઈફ્લેમેટરી તત્વ અર્થરાઈટિસ સાથે જોડાયેલ સમસ્યામાં આરામ અપાવે છે. 
 
સોજાથી કરે છે બચાવ - એંટી બેક્ટેરિયા ગુણોથી ભરપૂર અજમો બોડીમાં સોજાને ઘટાડે છે. સાથે જ આ શરદી ખાંસી જેવા વાયરલ ઈંફેક્શનથી પણ બચાવ કરે છે. 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 મે 2026

આગળનો લેખ
Show comments