Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન કરતા જ શૌચ જવાની સમસ્યાના શું છે કારણ જાણો તેનાથી છુટાકારો મેળવવાના ઘરેલૂ ઉપાય

Updated: રવિવાર, 16 મે 2021 (10:12 IST)
વિચારો તમે કોઈ પાર્ટીમાં ગયા છો ત્યાં તમારી પસંદની ઘણી પ્રકારની વાનગી રાખી છે પણ આ ડિશેજને ખાવાથી ગભરાઈ રહ્યા છો. તેનો કારણ છે કે ભોજન કરવાના થોડીવાર પછી જ તમને ટૉયલેટ તરફ 
ભાગવાની સમસ્યા છે. આ સત્યતા તે લોકો માટે ખૂબ ભયાવહ છે જે આ સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. ભોજન કરતા તરત જ પૉટી લાગવાની સમસ્યને ગેસ્ટ્રો-કૉલિક રિફ્લક્સ કહે છે. જોવાયુ છે કે આ સમસ્યા તે 
લોકોને વધારે આવે છે જે શરૂઆતમાં લાંબા સમય સુધી શૌચને રોકીને રાખે છે. 
 
ઘરેલૂ ઉપચાર 
- મીઠા કેરીનો રસ 50 ગ્રામમાં મીઠો દહીં 10-20 ગ્રામ અને આદુંનો રસ 1 ચમચી ભરી દરરોજ દિવસમાં 2 વાર થોડા દિવસો દર્દીને પીવડાવતા રહેવાથી લાભ થવા લાગે છે. 
- આમલી છાલટાનો ચૂર્ણ 1 થી 6 ગ્રામ સુધી સુધી 20 ગ્રામ તાજા દહીમાં મિક્સ કરી દિવસમાં 2 વાર(સવારે અને સાંજે) ચટાવવાથી બાળકોને આ સમસ્યાથી છુટકારો મળે છે. 
- ઈસબગોળ 4 ગ્રામને 40 ગ્રામ ગરમ જળમાં પલાળી દો. ઠંડુ થતા પર તેમાં 10 ગ્રામ ઓરેંજ કે દાડમનો શરબત મિક્સ કરી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થઈ જાય છે. 
- પિપળી, ભાંગ અને સૂંઠના સમભાગ ચૂર્ણને મધની સાથે સેવન કરતા રહેવાથી ભયંકર સંગ્રહણીમાં પણ લાભ થઈ જાય છે. 
- બેલ ના કાચા ફળને અગ્નિમાં શેકીને પલ્પ કાઢી થોડી ખાંડ મિક્સ કરી સેવન કરતા રહેવાથી રાહત મળે છે. 
-ત્રણ ગ્રામ કેરીના ફૂલનો ચૂર્ણ બારીક વાટીને વાસી જળની સાથે સેવન કરવાથી લાભ હોય છે. 
- ભાંગ 2 ગ્રામ શેકીને 3 ગ્રામ મધમાં મિક્સ કરી ચાટવાથી આરામ મળે છે. 
 
આ ઉપાયોને અજમાવો 
- ભોજન સારી રીતે ચાવીને ખાવો 
- ફાઈબરવાળા ભોજનનો કરો સેવન 
- 3-4 વારમાં થોડુ-થોડું ભોજન કરો. 
 
ભોજનમાં શામેલ કરો આ વસ્તુઓ 
આ સમસ્યાથી બચવા માટે ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોને તમારા ભોજનમાં શામેલ કરવી. ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં નાશપાતી, સફરજન, વટાણા, બ્રોકલી, આખા અન્ન, સેમ અને દાળ શામેલ છે. સાથે જ ભોજનમાં દહીં, કાચુ સલાદ, આદું, પાઈનાપલ, જામફળ વગેરે શામેલ કરવું. તે સિવાય કેળા, કેરી, પાલક, ટમેટા, નટસ અને શતાવરી વગેરે ભોજનમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી આ ભોજન પણ ફાયદાકારી છે. 

વધુ જુઓ..

7.7 ની તીવ્રતાના ભૂકંપ પછી ઇન્ડોનેશિયા ફરી ધ્રુજી ઉઠ્યું; અત્યાર સુધીમાં ૩૮ લોકોના મોત

સારા સમાચાર! એક જ કાર્ડથી દેશભરના મેટ્રોમાં મુસાફરી કરો, આ સેવા 15 ઓગસ્ટથી શરૂ થઈ. ટિકિટ કેવી રીતે મેળવવી તે જાણો.

યશસ્વી જયસ્વાલે કર્યું અનોખું કામ, 30 ટેસ્ટ-30 મેદાન અને 32 રને થયા આઉટ

અમરેલીમાં 80મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, મુખ્યમંત્રીએ કર્યું ધ્વજવંદન

યુવાનો, મહિલાઓ, સંરક્ષણ ક્ષેત્ર અને વિકસિત ભારત અંગે લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ શું કહ્યું?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

આગળનો લેખ
Show comments