Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026 (10:01 IST)
આ દિવસોમાં દેશ અને દુનિયામાં સ્થૂળતા રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. લોકો વધુને વધુ મેદસ્વી બની રહ્યા છે. વજન વધવાને કારણે આપણું શરીર હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે જેવી અનેક ગંભીર બીમારીઓનું ઘર બની જાય છે. ખાસ કરીને, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે, તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલા સ્થૂળતા ઓછી કરો. જેવો વધેલા વજનમાં ઘટાડો થશે (how to reduce obesity ), અડધી બીમારીઓ તો આપમેળે જ ગાયબ થઈ જશે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, ઉત્તમ આહાર અને કસરતની સાથે, જીરા અને મેથીનો આ વર્ષો જૂનો દેશી ઘરેલું ઉપાય  જરૂર અજમાવો.
 

કેવી રીતે  કરશો જીરા અને મેથીનો ઉપાય ? 
 

5 ચમચી જીરું, 5 ચમચી મેથી, 5 ચમચી વરિયાળી અને તજનો ટુકડો લો. જીરા, મેથીની સાથે વરિયાળી અને તજ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જીરામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મેથી સ્થૂળતા તેમજ શુગરને નિયંત્રિત કરે છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. એટલે કે આ મસાલા માત્ર વજન જ ઓછું નથી કરતા પણ બીજી ઘણી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
 

જીરા-મેથીનો પાઉડર કેવી રીતે બનાવશો?
 

જીરું, મેથી, વરિયાળી અને તજના ટુકડા લો. હવે આ મસાલાને એક પેનમાં નાખીને ધીમી આંચ પર એકસાથે શેકી લો. આ મસાલો હળવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમને મિક્સરમાં બારીકવાટીને પાવડર બનાવી લો.
 

વજન ઘટાડવામાં આ પાણી ફાયદાકારક છે
 

દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરો. તમારું વજન ઘટાડવાનું પાણી તૈયાર છે આ પાણીને એક મહિના સુધી પીવાથી તમારું વજન ઝડપથી ઘટશે.
 

આ સમસ્યાઓમાં પણ છે અસરકારક 
 

જો બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો આ પાણી જરૂર પીવો, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે. તેમજ હાર્ટની તબિયત સારી રહેશે.

વધુ જુઓ..

69 વર્ષીય 'ચાર્લ્સ શોભરાજ' જેવો ચાલાક ઠગ, જેણે 30 વર્ષ સુધી લક્ઝરી હોટેલોને લાખો-કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો

એક 'પરિણીત' સ્ત્રીને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા; છોકરાએ કોર્ટ મેરેજ કરવાનો ઇનકાર કર્યો

બુલિયન બજાર અને MCX પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે આ એક સુવર્ણ તક છે

Up Rain 24 કલાક માટે રેડ એલર્ટ, 7 લોકોના મોત, રસ્તાઓ ધરાશાયી, શાળાઓ બંધ.

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments