Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

શનિવાર, 21 ફેબ્રુઆરી 2026 (10:01 IST)
આ દિવસોમાં દેશ અને દુનિયામાં સ્થૂળતા રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. લોકો વધુને વધુ મેદસ્વી બની રહ્યા છે. વજન વધવાને કારણે આપણું શરીર હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે જેવી અનેક ગંભીર બીમારીઓનું ઘર બની જાય છે. ખાસ કરીને, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે, તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલા સ્થૂળતા ઓછી કરો. જેવો વધેલા વજનમાં ઘટાડો થશે (how to reduce obesity ), અડધી બીમારીઓ તો આપમેળે જ ગાયબ થઈ જશે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, ઉત્તમ આહાર અને કસરતની સાથે, જીરા અને મેથીનો આ વર્ષો જૂનો દેશી ઘરેલું ઉપાય  જરૂર અજમાવો.
 

કેવી રીતે  કરશો જીરા અને મેથીનો ઉપાય ? 
 

5 ચમચી જીરું, 5 ચમચી મેથી, 5 ચમચી વરિયાળી અને તજનો ટુકડો લો. જીરા, મેથીની સાથે વરિયાળી અને તજ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જીરામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મેથી સ્થૂળતા તેમજ શુગરને નિયંત્રિત કરે છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. એટલે કે આ મસાલા માત્ર વજન જ ઓછું નથી કરતા પણ બીજી ઘણી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
 

જીરા-મેથીનો પાઉડર કેવી રીતે બનાવશો?
 

જીરું, મેથી, વરિયાળી અને તજના ટુકડા લો. હવે આ મસાલાને એક પેનમાં નાખીને ધીમી આંચ પર એકસાથે શેકી લો. આ મસાલો હળવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમને મિક્સરમાં બારીકવાટીને પાવડર બનાવી લો.
 

વજન ઘટાડવામાં આ પાણી ફાયદાકારક છે
 

દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરો. તમારું વજન ઘટાડવાનું પાણી તૈયાર છે આ પાણીને એક મહિના સુધી પીવાથી તમારું વજન ઝડપથી ઘટશે.
 

આ સમસ્યાઓમાં પણ છે અસરકારક 
 

જો બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો આ પાણી જરૂર પીવો, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે. તેમજ હાર્ટની તબિયત સારી રહેશે.

વધુ જુઓ..

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં નવો ખુલાસો: ભક્તો પર નકલી રસીદોનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો

ટ્રમ્પના નિવેદનનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે! સોનાના ભાવમાં 2,300 અને ચાંદીના ભાવમાં 7,000નો ઘટાડો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી... પુણેના પિંપરી-ચિંચવડમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે ૧૫ લોકો ફસાયા હોવાની આશંકા

અમિત શાહ એક્શન મોડમાં: વતન ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક ચર્ચા, રાહત કામગીરીની સમીક્ષા

વધુ જુઓ..

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

જમાઈ કેમ નથી કરતા પોતાના સાસુ-સસરાનાં અંતિમ સંસ્કાર ? જાણો શું કહે છે ગરુડ પુરાણ

સોમવારે ચંદન, મંગળવારે સિંદૂર.. કયા દિવસે કયું તિલક અપાવશે દરેક કાર્યમાં સફળતા

આગળનો લેખ
Show comments