Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારું મોઢું હંમેશા સુકાયેલું રહે છે અને તરસ લાગતી રહે છે તો ગરમી ઉપરાંત આ કારણ પણ હોઈ શકે

શનિવાર, 6 એપ્રિલ 2024 (21:22 IST)
dry mouth
ઉનાળામાં વારંવાર તરસ લાગે છે અને મોઢું હંમેશા સુકાયેલું રહે છે. આ સિઝનમાં આ સમસ્યા સામાન્ય છે, પરંતુ વધુ પડતું સૂકું મોં કે તરસ લાગવી એ પણ કેટલીક બીમારીઓનું કારણ બની શકે છે. મોંઢાંમાં લાળ ઓછી હોય ત્યારે આવું ઘણીવાર થાય છે. આનું કારણ માત્ર પાણી જ નથી, પરંતુ અન્ય કેટલાક કારણો પણ હોઈ શકે. સુકાયેલુ મોંની સમસ્યાને ઝેરોસ્ટોમિયા(xerostomia) પણ કહેવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે મોંઢાંમાં લાળ ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું બંધ કરે છે. આવી સ્થિતિમાં આપણું મોઢું સુકું રહેવા માંડે છે.  
 
હેલ્થ એક્સપર્ટના મતે, લાળ આપણા ખોરાકને પચાવવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આના વગર ખોરાક પચાવવામાં મુશ્કેલી પડે છે. જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ, ત્યારે મોંઢાંમાં ઉત્પન્ન થતી લાળ ખોરાકને ભીનો કરવામાં અને તોડવામાં મદદ કરે છે. આનાથી ઓરલ હાઈજીન પણ જળવાઈ રહે છે.
 
મોઢું સુકાવવાણા અન્ય કારણ
જો તમે વધુ પડતા સુકા મોઢાંની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમને ખૂબ જ તરસ લાગી રહી છે, તો તેના માટે અન્ય ઘણા કારણો હોઈ શકે છે. આ ડાયાબિટીસ, અલ્ઝાઈમર અને સ્ટ્રોકના સંકેત પણ હોઈ શકે છે. સુકાયેલુ મોંના લક્ષણો પણ ઓટોઈમ્યુન ડીસઓર્ડરની નિશાની હોઈ શકે છે.
 
ડાયાબિટીસ
અલ્ઝાઈમર
સ્ટ્રોક
એચ.આઈ.વી
ચેતા નુકસાન
સ્જોગ્રેન સિન્ડ્રોમ
 
સુકા મોઢાના લક્ષણો
 
મોઢામાં ડ્રાયનેસ રહે છે
મોઢાની અંદર ચીકણું લાગે છે
મોંઢામાં જાડી લાળ બને છે
ક્યારેક શ્વાસમાં દુર્ગંધ આવે છે
બોલવામાં અને ગળવામાં મુશ્કેલી
ગળામાં શુષ્કતા અને તીવ્ર દુખાવો રહે છે
જીભમાં ડ્રાયનેસ અને સ્વાદમાં બદલાય જાય 
 
ક્યારેક હવામાનમાં ફેરફાર અને અચાનક ગરમી વધવાને કારણે આ સમસ્યા થઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો તમે ચોક્કસ  ડૉક્ટરની સલાહ લો. ઓરલ હાઈજીન મેન્ટેન કરો અને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો.

વધુ જુઓ..

અમદાવાદ 149 મી રથયાત્રા - જગન્નાથ મંદિરમાં આજે નેત્રોત્સવ વિધિ, જાણો શુ હોય છે નેત્રોત્સવ વિધિ

સંતોષ દુબે કોણ છે? તે એ માણસ છે જેણે ચંપત રાયની મુશ્કેલીઓ વધારી, SIT ને 75 પાનાના પુરાવા રજૂ કર્યા

26 લોકોનો હત્યારો હાફિઝ સઈદ હવે બચી નહીં શકે, પહેલગામ હુમલા કેસમાં કોર્ટનું કડક વલણ, ટૂંક સમયમાં ભાગેડુ જાહેર થશે

પુત્રીના લગ્નમાં નણંદને ન બોલાવી તો દિયર અને સસરાએ મહિલાની કરી હત્યા, વિદેશમાં નોકરી કરે છે પતિ, બચાવી ન શક્યો

ગુજરાતની ભવ્ય સિદ્ધિ: પાટણની 'રાણકી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને એશિયા લેવલે મળ્યો 'ગોલ્ડ મેડલ

વધુ જુઓ..

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

આગળનો લેખ
Show comments