Webdunia - Bharat's app for daily news and videos

Install App

દીવાલ પર લાગેલા ડાઘને ક્લીન કરવા માટે અજમાવો આ સરળ રીત

શુક્રવાર, 29 માર્ચ 2024 (06:51 IST)
Wall Stains removing tips- દીવાલ પર ઘણી વાર ડાઘ લાગી જાય છે. જો તમે પણ આ ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપ્સની મદદ લેવી જોઈએ. ખાસ કરીને ઘરમાં નાના બાળક હોય તો દીવાલ પર ડાઘ લગાવી નાખે છે. જો તમે પણ ઘરના ગંદા દીવાલોને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપની મદદ લેવી જોઈએ. 
 
દીવાલને ધુવો 
તમે તમારા દીવાલોને વોશ કરતા રહેવા જોઈએ. ઘણા લોકોને આવુ લાગે છે કે દીવાલને વોશ કરવાથી દીવાલ ખરાબ થઈ જાય છે પણ આવુ નથી તમને તમારી દીવાલોને સાચી રીતે વૉશ કરવુ જોઈએ. તેનાથી તમારા દીવાલ પર લાગેલા ડાઘ નિકળી જશે. 
 
ટૂથપેસ્ટનો ઉપયોગ 
જો પેન કે પેંસિલના ડાઘ લાગી ગયા છે તો તમે દીવાલની સફાઈ કરવા માટે ટૂથપેસ્ટની મદદ લેવી જોઈએ. ટૂથપેસ્ટની મદદથી તમે તમારા ઘરની દીવાલની સફાઈ કરી શકો છો. તેના માટે ડાઘની જગ્યા પર ટૂથપેસ્ટ લગાવીને 5 મિનિટ મૂકી દો. પછી દીવાલને એક નરમ બ્રશની મદદથી સાફ કરવું. કોઈપણ ડાઘ મિનિટોમાં દૂર થઈ જશે.
 
 
વિનેગર સ્પ્રે 
વિનેગરમાં કેટલાક તત્વો હોય છે જે મિનિટોમાં કોઈપણ ડાઘ દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે વિનેગર અને પાણીનો સ્પ્રે તૈયાર કરવો જોઈએ. પછી આ સ્પ્રેને ડાઘવાળી જગ્યા પર લગાવો અને થોડા સમય પછી ભીના કપડાની મદદથી દિવાલ સાફ કરો. આમ કરવાથી તમારા ઘરની દિવાલો સાફ થઈ જશે.
 
ડિશ  શોપ કરશે સાફ 
ડિશ શોપ ગંદાથી ગંદા દીવાલને મિનિટોમાં સાફ કરી શકે છે. તેથી તમને તમારા ઘરની દીવાલને સાફ કરવા માટે ડિશ શોપનો ઉપયોગ કરવો જોઈએ. ડિશ શોપને તમે ડાઘવાળી જગ્યા પર લગાવી દો. પછી થોડી વાર પછી ભીના કપડાની મદદથી દીવાલની સફાઈ કરવી. પછી જો તમે ઇચ્છો તો, તમે તમારા ઘરની દિવાલોને સામાન્ય પાણીની મદદથી ધોઈ શકો છો. તમારા ઘરની દીવાલની નવાની જેમ ચમકવા લાગશે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

New Labour Code Rule- 1 કલાક કામ માટે 2 કલાકનો પગાર! કડક ઓવરટાઇમ નિયમો લાગુ, વધુ જાણો

શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટ્યો; ઇન્ફોસિસ, એચસીએલટેક અને સિપ્લાના શેર ઘટ્યા.

Onion Price Hike Alert: ડુંગળીના ભાવ આપણને રડાવે છે? ભાવ 60 પ્રતિ કિલો સુધી પહોંચે છે

મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટન બદલવાની તૈયારી? હાર્દિક પંડ્યાના સ્થાને આ 3 ખેલાડીઓ છે રેસમાં સૌથી આગળ

શું સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે? આજે નવી બિહાર સરકાર માટે ફ્લોર ટેસ્ટ છે. જાણો શું થાય છે અને શા માટે તેની જરૂર છે.

વધુ જુઓ..

Khodiyar Maa- ખોડિયાર માતાજીની પ્રાગટ્ય કથા

સંત શ્રી ડાયારામ બાપા

Baglamukhi Jayanti Upay: શુક્રવારે બગલામુખી જયંતીનાં દિવસે કરો આ સહેલા ઉપાય, દરેક સમસ્યાથી મળશે મુક્તિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Mata Baglamukhi ki Aarti- માતા બગલામુખી આરતી

આગળનો લેખ
Show comments