મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2026
Written By
Last Modified: સોમવાર, 16 ફેબ્રુઆરી 2026 (18:24 IST)

Surya Grahan Yog 2026: સૂર્યગ્રહણના દિવસે સૂર્ય ચંદ્રમાંની ખતરનાક યુતિ, 3 રાશિઓની લાઈફ કરી શકે છે ડિસ્ટર્બ, મંડરાય રહ્યુ છે મોટુ સંકટ

grahan
Surya Grahan Yog 2026: સૂર્યગ્રહણના દિવસે એટલે કે 17 ફેબ્રુઆરી 2026 ના રોજ સૂર્ય અને ચંદ્ર બંને શનિની રાશિ કુંભમાં બિરાજમાન રહેશે. આ રાશિમાં બંને ગ્રહોની યુતિ કેટલીક રાશિના જાતકો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોએ જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અચાનક કોઈ વ્યક્તિ તરફથી દગો મળી શકે છે, તેથી સતર્ક રહેવું જરૂરી છે. કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. જાણો કઈ રાશિઓ માટે સૂર્ય-ચંદ્રની આ યુતિ ખતરનાક સાબિત થશે.
 

આ રાશિઓ માટે સૂર્ય-ચંદ્રની યુતિ ખતરનાક
 

મેષ રાશિ: મેષ રાશિના જાતકો માટે સૂર્ય-ચંદ્રની યુતિ જોખમી સાબિત થઈ શકે છે. કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં વિવાદો થઈ શકે છે અને ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. વાણી પર સંયમ રાખવો અને ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. અત્યારે રોકાણ કરવાથી પણ બચવું જોઈએ.
 
કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે આ યુતિ માનસિક તણાવ લાવનારી સાબિત થશે. ભાવનાત્મક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં કલહનું વાતાવરણ રહી શકે છે. સ્વાસ્થ્ય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. રોકાણ માટે સમય સાનુકૂળ નથી, તેથી સાવધ રહેવું.
 
મકર રાશિ: મકર રાશિના લોકોએ આર્થિક બાબતોમાં સતર્ક રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં સ્પર્ધા વધી શકે છે. કોઈની સાથે ઝઘડો થવાની શક્યતા છે. કોઈ નજીકની વ્યક્તિ દગો આપી શકે છે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત વિચારી-સમજીને કરવી. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી.
 

ખરાબ અસરોથી બચવા શું કરવું?
 

ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.
 
સૂર્યદેવને જળ અર્પણ કરવું.
 
ક્રોધ અને દલીલોથી દૂર રહેવું.
 
અસત્ય બોલવાનું ટાળવું.
 
ગરીબોને અન્ન અથવા વસ્ત્રનું દાન કરવું.
 
કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં પૂરતો વિચાર કરવો.