Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (16:00 IST)
તમે  જોયું હશે કે શિવના ભક્ત ભોળાનાથને બિલપત્ર અને ભાંગ ધતૂરો જ અર્પિત કરવામાં આવે છે. જ્યારે  બીજા દેવી-દેવતાઓને જુદા-જુદા પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવે છે. તે ઉપરાંત ભોળા શંકર ભાંગ ચઢાવતા લોકો પર પ્રસન્ન થાય છે. ભગવાનને આ બધી ચીજો કેમ પસંદ છે  એનો જવાબ પુરાણોમાં મળે છે.  
 
શું કહે છે પુરાણ શિવની આ પસંદ વિશે 
 
પુરાણો મુજબ સમુદ્ર મંથન સમયે જ્યારે વિષ નીકળ્યું ત્યારે વિષના આ પ્રભાવથી બધા દેવી-દેવતાઓ અને જીવ જંતુ વ્યાકુળ  થવા લાગ્યા. 
 
શું કહે છે પુરાણ શિવની આ પસંદ વિશે 
 
આ સમયે ભગવાન શિવે વિષને પોતાની અંજલીમાં લઈ પી લીધું . વિષના પ્રભાવથી પોતાના બચાવવા માટે શિવે વિષને કંઠમાં રાખી લીધુ.  જેથી શિવજીનો કંથ ભૂરો થઈ ગયો અને શિવજી નીલકંઠ નામથી ઓળખાવા લાગ્યા. 
 
ક્યારથી શરૂ થયો  બીલપત્રથી શિવની  પૂજાનો નિયમ 
 
પરંતુ વિષના પ્રભાવથી શિવજીનું  મસ્તિષ્ક ગરમ થઈ ગયુ. ત્યારે દેવતાઓએ શિવજીના માથા પર જળ નાખ્યું જેથી માથાની ગરમી ઓછી થઈ . 
 
બિલના પાંદડા પણ ઠંડક આપે છે. તેથી શિવજીને બિલપત્રી અર્પિણ કરવામાં આવી. ત્યારથી શિવજીની પૂજા જળ અને બિલપત્રથી કરાય છે. 
 
બિલપત્રથી પૂજાના લાભ 
 
બિલપત્ર અને જળથી  શિવજીના માથામાં શીતળતા રહે છે અને તેમને શાંતિ મળે છે. આથી બિલપત્ર અને જળથી પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય  છે. શિવરાત્રિની કથામાં એક પ્રસંગ છે કે શિવરાત્રિની  રાતે એક ભીલ માણસ ઘરે નહી જઈ શક્યો તેણે રાત  બિલના ઝાડ પર પસાર કરવી પડી.  ઉંઘ આવી તે ઝાડ પરથી પડી ના જાય તે માટે બિલના પાંદડા તોડીને નીચે ફેંકવા લાગ્યો.તેના નસીબજોગે એ ઝાડ નીચે એક શિવલિંગ હતુ . બિલના પાંદડા શિવજી પર પડતા શિવજી પ્રસન્ન થયાં અને તે ભીલ સામે પ્રગટ થયા  અને તેને અને તેના પરિવારને મુક્તિનું વરદાન આપ્યુ.  
 
 

 


  •  

વધુ જુઓ..

ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને રતાળુનો ડોસો

Kitchen Hacks: શુ તમે પણ મહિનાઓથી એક જ વાસણ ઘોવાનો સ્પંજ યુઝ કરો છો ? તો જરૂર જાણો તેના નુકશાન

પનીર ભુર્જી સેન્ડવિચ – હેલ્ધી પણ, ટેસ્ટી પણ! ઘરે બનાવો સરળ રેસીપી

સાચી મિત્રતાની કસોટી

આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ

વધુ જુઓ..

ગુરૂવારે કેળાના ઝાડની પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? જાણો કયા લોકોએ જરૂર કરવી જોઈએ આ પૂજા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

આગળનો લેખ
Show comments