Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમુદ્રની લહેરો પર આગળ વધી રહ્યુ હતુ જહાજ, ત્યારે અચાનક લાગી ભીષણ આગ... 16 ખલાસીઓ જીવ બચાવવા સમુદ્રમાં કૂદી પડ્યા Video

શુક્રવાર, 31 ઑક્ટોબર 2025 (13:39 IST)
kutch ship fire accident
કહેવત છે ને કે "જેને રામ રાખે તેને કોણ ચાખે" ખરેખર, કચ્છના માંડવી કિનારે આવો જ એક ચમત્કાર થયો. કચ્છના માંડવીથી મોટર વાહન જહાજ સોમાલિયા જવા નીકળ્યુ હ તુ. થોડે દૂર ગયા પછી જહાજે હજુ તો સ્પીડ પકડી જ હતી ત્યારે અચાનક તેમા ભીષણ આગ લાગી ગઈ. આગ એટલી તીવ્ર હતી કે થોડી જ મિનિટોમાં તેણે આખા જહાજને પોતાની લપેટમાં લઈ લીધું. આ ગંભીર પરિસ્થિતિમાં, ખલાસીઓએ સમજદારીપૂર્વક કામ કર્યું. આગથી બચવા માટે તેઓ બધા સમુદ્રમાં કૂદી પડ્યા અને પોતાનો જીવ બચાવ્યો.
<

गुजरात कच्छ में समुद्र के बीचों-बीच मांडवी के जहाज में आग लग गई, जहाज सोमालिया बंदरगाह से दुबई जा रहा था, जहाज पर सवार 16 नाविकों को बचा लिया गया...#GujaratiNews #GujaratPolice #Gujarat #Kutch pic.twitter.com/e61tnROPdl

— Gaurav Kumar (@gaurav1307kumar) October 30, 2025 >
 
ક્યારે.. શુ અને કેવી રીતે થયુ ?
અહેવાલો અનુસાર, સોમાલિયાના કિસ્માયુ બંદરથી દુબઈ જવા રવાના થયા પછી, માંડવીના હાજી એન્ડ સન્સની માલિકીની કાર્ગો જહાજ "ફઝલે રબ્બી" (એમએસવી 2192) માં થોડીવારમાં જ આગ લાગી ગઈ હતી. આ ઘટના ગઈકાલે બપોરે બની હતી, બંદરથી માત્ર આઠ નોટિકલ માઈલ દૂર. એવું બહાર આવ્યું છે કે ટર્બોચાર્જ્ડ એન્જિન ફાટ્યું હતું, જેના કારણે ભીષણ આગ લાગી હતી. પોતાનો જીવ બચાવવા માટે, તેમાં સવાર તમામ 16 ખલાસીઓ સમુદ્રમાં કૂદી પડ્યા હતા. સ્થાનિક કોસ્ટ ગાર્ડ અને કંપનીના અન્ય જહાજ, "અલ ફઝલ" (MNV 2031) ની તાત્કાલિક સહાયથી, બધા ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
 
કરોડો રૂપિયાનુ જહાજ બળીને ખાખ 
કરોડો રૂપિયાનું એક જહાજ બળીને રાખ થઈ ગયું છે, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે. આગ બુઝાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને જહાજ ડૂબી ગયું. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલોમાં એન્જિનમાં ટેકનિકલ ખામી મુખ્ય કારણ હોવાનું જણાય છે. માંડવી અને કચ્છના અન્ય દરિયાકાંઠે મોટી સંખ્યામાં જહાજો દોડે છે. થોડા દિવસો પહેલા પોરબંદરથી રવાના થયેલા એક જહાજમાં આગ લાગી હતી. કરોડો રૂપિયાનું જહાજ બળીને રાખ થઈ ગયું હતું, જેના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું હતું. આગ બુઝાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને જહાજ ડૂબી ગયું. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલોમાં એન્જિનમાં ટેકનિકલ ખામી મુખ્ય કારણ હોવાનું જણાય છે. માંડવી અને કચ્છના અન્ય દરિયાકાંઠે મોટી સંખ્યામાં જહાજો દોડે છે. થોડા દિવસો પહેલા પોરબંદરથી રવાના થયેલા એક જહાજમાં આગ લાગી હતી.

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

ગુજરાતી જોક્સ - ઊંઘની ગોળી

ગુજરાતી જોક્સ - શિક્ષક-વિદ્યાર્થી મજાક

ગુજરાતી જોક્સ -પતિ-પત્ની

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાધા પર તૂટ્યો દુ:ખોનો પહાડ

આગળનો લેખ
Show comments