સંબંધિત સમાચાર
- પીએમ મોદીએ મન કી બાતમાં દેશને "વોકલ ફોર લોકલ" ના મંત્રની યાદ અપાવી. જાણો કે તેમણે આ સમજાવવા માટે કયા ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો.
- Ayodhya Ram Mandir - આજે અયોધ્યાના રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહ; પીએમ મોદી 191 ફૂટ ઊંચા ભગવો ધ્વજ ફરકાવશે
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી દિલ્હી પરત ફર્યા, G20 સમિટ સફળ રહી
- PM Modi IBSA - મોદીએ આપી ચેતાવણી, ટ્રમ્પ ઉડાવે છે મજાક, UN નો વિસ્તાર કરવો જ પડશે, સમજો IBSA શું છે અને કેમ છે જરૂરી ?
- Bihar CM Shapath Grahan Live: નીતીશ કુમારે 10મી વખત લીધા બિહારના CM પદના શપથ
પીએમ મોદીએ વિપક્ષ પર કર્યો કટાક્ષ, બોલ્યા - 'જે નાટક કરવુ હોય તે કરી શકો છો, અહી સૂત્રબાજી પર નહી પૉલિસી પર જોર આપવો જોઈએ'
લોકસભાના શીતકાલીન સત્ર પહેલા પીએમ મોદીએ વિપક્ષના નેતાઓને હારની નિરાશામાંથી બહાર આવવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યુ જે કોઈપણ નાટક કરવા માંગતુ હોય તે કરી શકે છે. અહી ડ્રામા નહી પણ ડિલીવરી હોવી જોઈએ. સૂત્રો પર નહી પોલીસી પર ભાર આપવો જોઈએ. તેમણે કહ્યુ કે આ સત્ર દેશની પ્રગતિ માટે છે. તેને હારની ભડાશ કાઢવાનુ સ્થાન ન બનાવવુ જોઈએ.
શિયાળુ સત્રની શરૂઆત પહેલા સંસદ ભવનમાં પીએમ મોદીએ કહ્યુ કે આ સત્ર રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જવાના પ્રયાસોમાં ઉર્જા ભરવાનુ કામ કરશે. ભારતે લોકતંત્રને જીવ્યુ છે. સમય સમય પર લોકતંત્રને એવુ પ્રગટ કર્યુ છે કે લોકતંત્ર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થાય છે. બિહાર ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી લોકતંત્રની સૌથી મોટી તાકત છે.
શીતકાલીન સત્રમાં પ્રતિનિધિના રૂપમાં મુદ્દા મુકો
પીએમ મોદીએ કહ્યું, એક તરફ લોકશાહીની તાકાત છે અને બીજી તરફ અર્થતંત્રની તાકાત છે, જેના પર દુનિયા નજર રાખી રહી છે. ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી આપી શકે છે. ભારતનો આર્થિક વિકાસ જે ગતિએ નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યો છે તે આપણને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવા માટે નવી તાકાત આપે છે. વિપક્ષે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને આવા મજબૂત મુદ્દાઓ ઉઠાવવા જોઈએ. હારની નિરાશામાંથી બહાર આવો. કેટલાક પક્ષો હાર પચાવી શકતા નથી. હું વિનંતી કરું છું કે શિયાળુ સત્રને હારનું મેદાન ન બનવા દેવાય અને તેને વિજયનું ગૌરવ પણ ન બનવા દેવાય. જનપ્રતિનિધિ તરીકે, આપણે અહીં આપણા મુદ્દાઓ રજૂ કરવા પડશે.
યુવા સાંસદોને તક આપો
પીએમ મોદીએ કહ્યું, "પહેલી વાર સાંસદ બનેલા અથવા યુવાન સાંસદો ખૂબ જ પરેશાન અને નાખુશ છે. તેમને તેમની શક્તિ દર્શાવવાની અથવા તેમના મતવિસ્તારની સમસ્યાઓને ઉજાગર કરવાની તક મળી રહી નથી. પક્ષ ગમે તે હોય, આપણે આપણી નવી પેઢીના યુવા સાંસદોને તકો આપવી જોઈએ. ગૃહને તેમના અનુભવોનો લાભ મળવો જોઈએ."
પીએમ બોલ્યા - હુ ટિપ્સ આપવા તૈયાર
પીએમ મોદીએ કહ્યું, "GST સુધારાએ દેશવાસીઓમાં શ્રદ્ધાનું વાતાવરણ ઉભું કર્યું છે. આ સત્રમાં પણ તે દિશામાં ઘણું કામ કરવાની જરૂર છે. વિપક્ષના સભ્યો જનતા સુધી પહોંચી શકતા નથી અને પોતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી, અને ગૃહમાં પોતાનો બધો ગુસ્સો ઠાલવી રહ્યા છે. કેટલાક પક્ષોએ એક નવી પરંપરા શરૂ કરી છે. તેમણે પોતાની રણનીતિ બદલવાનો વિચાર કરવો જોઈએ; હું ટિપ્સ આપવા તૈયાર છું."
