મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (16:48 IST)

#Rahulgandhi રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યુ,

લોકસભા ચૂંટણી 2019માં હાર્યા પછી કાંગ્રેસની અંદર શરૂ થયું પાર્ટી અધ્યક્ષ પદનો વિવાદ રોકાવવાનો નામ નહી લઈ રહ્યું છે. એક તરફ પાર્ટીના નેતા કાર્યકર્તા રાહુલ ગાંધીથી સતત કહી રહ્યા છે કે તે પાર્ટી અધ્યક્ષ પદ પર બન્યા રહે તેમજ બીજી તરફ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપવાની વાત પર અડગ છે અને નવા અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીમાં જલદીથી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઈએ. હવે હું આ પદ પર નથી. રાહુલે એમ પણ કહ્યું કે,  પાર્ટીના નવા અધ્યક્ષની એક મહિના પહેલા જ વરણી થઈ જવી જોઈતી હતી.
 
બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કોઇ પણ ભોગે રાજીનામું પરત લેવાના મૂડમાં નથી. તરત જ આ પદ માટે ચૂંટણી થવી જોઈએ. હું આ પદ પર નથી. 23 મેના રોજ લોકસભા ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજીનામાની ઓફર કરી હતી.
 
રાહુલ ગાંધીએ આજે આને લઈને આજે ચાર પાનાનો રાજાનામું આપી દીધું અને તેને ટ્વિટર પર શેયર પણ કર્યું. રાહુલ ગાંધીના રાજીનામા પછી મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદ બહાર જઈને તેને લઈને સવાલ પૂછ્યું તો તેને હંસતા કહ્યું  "જય શ્રી રામ".