હાર્દિકને છોડાવવા 11 પાટીદાર યુવકો ભૂખ હડતાળ પર ઉતર્યા
પાટીદારોને અનામત અપાવવા માટે આંદોલન ચલાવનારા હાર્દિક પટેલે અને તેમના સાથીઓને જેલમાં ગોંધી દેવાના રાજય સરકારના વલણ સામે સુતના પાસના સહકન્વિનર નિખિલ સવાણીએ અન્નનો ત્યાગ કરતા તેમનું સુગર ઘટી જવા પામ્યું હતું એમના સહિત 11 પાટીદાર યુવક ભુખ હડતાળ પર ઉતર્યા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા મહિનાઓથી અનામતના મુદ્દે પાટીદાર સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આંદોલન દરમિયાન રાષ્ટ્રદ્રોહ તથા રાજદ્રોહનો ગુનો હાર્દિક પટેલ, ચિરાગ પટેલ તથા કેતન પટેલસામે લગાડવામાં આવ્યો છે તેમની ધરપકડ કરી રાજયની વિવિધ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે. અને આજદિન સુધી છુટકારો થઇ શકયો નથી. પાસના આ તમામ અગ્રણીઓને સરાર દ્વારા જેલમાં મુકત રાવવામાં આવે તે઼ માટે સુરતમાં પાસના સહ કન્વિનર નિખિલ સવાણીના ડોકટરોએ નિખિલને તપાસતા તેનું સુગર ઘટીને 63 પર પહોંચ્યુ઼ હતું.
