Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2025: રક્ષાબંધનની થાળીમાં જરૂર હોવી જોઈએ આ પાંચ વસ્તુઓ.. મળે છે શુભ ફળ

ગુરુવાર, 7 ઑગસ્ટ 2025 (15:53 IST)
raksha bandhan
Raksha Bandhan Thali Samagri: રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનુ પ્રતિક પર્વ છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવાય છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી વય, સુખ સમૃદ્ધિ અને સુરક્ષાની કામ કરતા તેમના કાંડા પર રાખડી બાંધે છે.   
 
રક્ષાબંધનનો તહેવાર ખાસ બનાવવા માટે બહેનો પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે. તેમા પૂજાની થાળી સજાવવી એક મહત્વનો ભાગ હોય છે. જો આ થાળીમાં કંઈક વિશેષ વસ્તુઓ યોગ્ય વિધિથી સામેલ કરવામાં આવે તો આ શુભ અને ફળદાયક માનવામાં આવે છે.  આવો જાણીએ રક્ષાબંધનની પૂજા થાળીમાં કંઈ વસ્તુઓનો પ્રયોગ કરવો શુભ હોય છે.  
 
પૂજાની થાળીમાં મુકો આ શુભ વસ્તુઓ 
 
કુમકુમ કે કંકુ - રાખડી બાંધતા પહેલા ભાઈના માથા પર તિલક કરવાની પરંપરાનો મહત્વનો ભાગ છે.  તિલક માટે થાળીમાં કંકુ કે કુમકુમ જરૂર હોવુ જોઈએ. આ દીર્ઘાયુ વિજય અને સમૃદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે.  
 
અક્ષત (ચોખા) 
પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા કાચા ચોખા, જેને અક્ષત કહેવાય છે. એ શુભ્રતાનુ પ્રતિક હોય છે.  તિલક પછી ભાઈના માથા પર અક્ષત લગાવવા એ પૂજા વિધિનો ભાગ છે. 
 
દિપક - આરતી માટે થાળીમા દિવો જરૂર મુકો. રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારવી એ ખરાબ નજરથી બચવાનો ઉપાય માનવામાં આવે છે. તેનાથી ભાઈના જીવનમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે છે.  
 
મીઠાઈ - ભાઈ-બહેનના સંબંધોની મીઠાશને દર્શાવવા માટે થાળીમાં મીઠાઈ જરૂર મુકવી જોઈએ. રાખડી બાંધ્યા પછી એકબીજાને મીઠાઈ ખવડાવવી શુભ હોય છે અને પ્રેમને વધારે છે.  
 
નારિયળ - (શ્રીફળ) થાળીમાં નારિયળ મુકવુ ખૂબ જ શુભ માનવામાં આવેછે. અનેક સ્થાન પર બહેન તિલક પછી ભાઈને શ્રીફળ અર્પિત કરે છે. તેને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. તેનાથી ભાઈને પ્રમોશન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.  

વધુ જુઓ..

ઉનાળામાં આ મસ્ત કાકડી પોહા અજમાવો; રેસીપી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

સ્વાદિષ્ટ રીંગણ સ્ટૂ બનાવવાની રીત/ રીંગણ નો ઓળો

Friday Suvichar in Gujarati - શુક્રવારના સુવિચાર

ઓટ્સ કે દલિયા, ડાયાબિટીસમાં શુ ખાવુ બેસ્ટ હોય છે ?

ઘરે જ બનાવો હોટલની જેમ ક્રીમી અને થોડી મીઠી મેથી મટર મલાઈ રેસીપી

વધુ જુઓ..

Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Sukrawar Rules - શુક્રવારે મહિલાઓએ ખાટી વસ્તુઓ ખાવાનું કેમ ટાળવું જોઈએ? આ ભૂલ મોંઘી પડી શકે છે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

આગળનો લેખ
Show comments