Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી T.E.T. - T.A.T. ના પ્રમાણપત્રની માન્યતા આજીવન કરવા કરી રજુઆત

મંગળવાર, 24 ઑગસ્ટ 2021 (16:17 IST)
અમિત ચાવડ઼ાએ પત્રમાં ઉલ્લેખ કર્યો કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૦,૦૦૦ થી વધુ જગ્યા ખાલી છે, અનેક શાળાઓ માત્ર એક - બે શિક્ષકોના ભરોસે ચાલી રહી છે, જેના કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી અને બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં ૪૭,૦૦૦ થી વધુ T.E.T. પાસ ઉમેદવારો ચાર વર્ષથી બેરોજગાર બેસી રહ્યા છે. શિક્ષકોની ભરતી નહિ કરવામાં આવતા અનેક છાત્રોની વયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે, રોજગારીના અભાવે લાખો લોકો ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવતી નથી તે બાબત દુઃખદ છે.
 
 વધુમાં ચાવડાએ ઉમેર્યુ કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં ૬,૦૦૦ વિદ્યાસહાયકો ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તેની સામે માત્ર ૩,૨૬૨ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી અને બાકીની ભરતી પછી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી તે બાકી રહેલી ભરતી કરવામાં આવેલ નથી. તા. ૨૩/૧૦/૨૦૧૯ ના રોજ ૩,૦૦૦ વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી હતી જે આજ દિવસ સુધી થઈ શકેલ નથી. ચાલુ વર્ષે ૩,૯૦૦ વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી હતી. તેમાં પણ ગુજરાતી માધ્યમના ૩,૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી.
 
મુખ્યમંત્રીના ધ્યાને લાવતાં તેમણે પત્રમાં લખ્યુ કે  કેન્દ્ર સરકાર દ્વારા તા. ૦૯/૦૬/૨૦૨૧ના રોજ પરિપત્ર બહાર પાડેલ હતો જેમાં T.E.T. પ્રમાણપત્રની માન્યતા વધારવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં આ માન્યતા માત્ર પાંચ વર્ષની છે રાજ્યસરકાર દ્વારા સમયસર ભરતી કરવામાં ન આવતા અનેક ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી અને તેમનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જાય છે.
 
જે વિદ્યાર્થીઓએ પરિક્ષા પાસ કરી છે અને નોકરી મળી નથી તેવાં વિદ્યાર્થીઓના T.E.T. પ્રમાણપત્રને આજીવન માન્યતા આપવાથી રાજ્યના લગભગ ૨ લાખ જેટલા T.E.T. પાસ ઉમેદવારોનું જીવન અંધકારમય બનતુ અટકાવી શકાય છે. ગુજરાતના ભવિષ્ય સમાન લાખો યુવાનોને આપના થી ઘણી આશા છે. યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનતુ અટકાવવા  તત્કાલ વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવે અને T.E.T. પ્રમાણપત્રની માન્યતા વધારવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - રાખડી

સંકટ વચ્ચે શક્તિપીઠની શરણે પહોચ્યા રણવીર સિંહ, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરમાં માતા સામે માથુ ટેકવ્યુ

Video - વિરાટ કોહલીની જીત માટે અનુષ્કા શર્માએ કરી પ્રાર્થના, ટીમ માટે મંત્રોચ્ચાર કરતી વખતે હાથમાં જોવા મળી ખાસ વસ્તુ

Sabarimala Temple સબરીમાલા મંદિર

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

આગળનો લેખ
Show comments