Webdunia - Bharat's app for daily news and videos

Install App

બહુચરાજી મંદિરના આરસપહાણ પથ્થર કાળા પડી ગયા ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા સીએમને રજૂઆત

શુક્રવાર, 21 જૂન 2019 (14:11 IST)
ગુજરાતનું પ્રસિદ્ધ બહુચરાજીમાં રૂ. આઠ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં બહુચર માતાજીના મંદિરના બાંધકામમાં વપરાયેલો સફેદ આરસપહાણનો પથ્થર કાળો પડી ગયો હોઈ જે અંગે ધારાસભ્ય દ્વારા મુખ્ય પ્રધાનને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના રાજવી દ્વારા 200 વર્ષ પૂર્વે બંધાવેલું બહુચર માતાજીનું મંદિર તોડી નવું બનાવવા રૂ. આઠ કરોડનો ખર્ચ કરી મંદિરનું કામ 2015માં પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના સફેદ આરસપહાણના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરનું કામ પૂર્ણ થયું તે સમયે સભામંડપની ખામીઓ, ઘુમ્મટ વગેરે ખુલ્લા હોવા સહિતની અનેક ખામીઓ અંગે ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી હતી. તે સમયે કોન્ટ્રાક્ટર સામે કંઈ ઉકાળી શક્યા નહોતા. પણ 2015માં ફાગણી પૂનમે મંદિરનું એક શિખર ઘસીને નીચે પડવાની ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર અને આર્કિટેકને મંદિરના બાંધકામમાં રહી ગયેલી ખામીઓ નજરોનજર બતાવી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન એવા જિલ્લા ક્લેક્ટરે એક મહિનામાં ખામીઓ દૂર કરવા સૂચના આપી સંતોષ માની લીધો હતો. પણ હવે મંદિરમાં વપરાયેલો સફેદ આરસ કાળો પડવા લાગ્યો છે. જેને લઇ આરસની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે પગલાં લેવાની માગ બહુચરાજીના ધારાસભ્યે મુખ્ય પ્રધાનને કરી તેમણે જણાવ્યું હતુ કે, બહુચરાજી મંદિરના બાંધકામમાં વ્હાઇટ સ્ટોનની જગ્યાએ બ્લેક સ્ટોન વાપરી કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો છે. જેની સરકારમાં વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ પગલાં ના લેતા કોન્ટ્રાકટર અને તંત્રની મિલીભગત જણાય છે. કામમાં ગેરરીતિ આચરનાર કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

ગુજરાતી જોક્સ - આજના મજેદાર જોકસ

ગુજરાતી જોક્સ -લંડનની યાત્રાનુ ઈનામ

પૈસા જોઈએ તો બાપ છે, સાવકા ભાઈ પ્રતિક પર વરસ્યા આર્ય બબ્બર, પિતાના અપમાનથી દુભાયુ દિલ, સાર્વજનિક રીતે સાધ્યુ નિશાન

આગળનો લેખ
Show comments