Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલે ગુજરાતમાં પીએમ મોદીની થશે પધરામણી, જાણીલો શું છે આખો કાર્યક્રમ

બુધવાર, 22 ઑગસ્ટ 2018 (13:11 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવનાર છે. હવે આગામી 23 ઓગસ્ટે એટલે કે આવતી કાલે પીએમ મોદી ગુજરાત આવશે. PM મોદીના ગુજરાત પ્રવાસ અંગે અગાઉથી સોગઠા ગોઠવાઈ ગયા છે. 23 ઓગસ્ટે PM મોદી સવારે 9.30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચશે, ત્યારબાદ સુરતથી હેલિકોપ્ટર દ્વારા વલસાડ જવા રવાના થશે. ત્યાં 12 વાગ્યા સુધી વલસાડમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી વલસાડમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જૂનાગઢ જવા થશે રવાના થશે. બપોરે 2 કલાકે જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમ પતાવી ગાંધીનગર જવા રવાના થશે. ત્યારબાદ બપોરે 3 કલાકે ગાંધીનગરમાં FSLના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. FSLનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સાથે ભાજપના નેતાઓ એક બેઠક કરશે, અને ત્યારબાદ રાત્રિ ભોજન બાદ 8.30 વાગે PM દિલ્હી જવા રવાના થશે.
તેઓ જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. 600 કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 700 જેટલા બેડ મુકવામાં આવ્યા છે. અદ્યતન ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવેલી આ હોસ્પિટલમાં ફ્રી માં દર્દીઓને સેવા આપવામાં આવે છે. આ હોસ્પિટલમાંથી દરરોજ 1200 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર લેતા હોય છે. જ્યારે આ હોસ્પિટલમાં દર મહિને 600 જેટલી મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન એ ક્સરે મશીન અને અદ્યતન મશીનો પણ મુકવામાં આવી છે.
23 ઓગસ્ટના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવા ડિનર ડિપ્લોમસી યોજાશે. તે વખતે લોકસભા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે પરામર્શ કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભાજપના નેતાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આગામી સમયમાં 2019ની લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર કબજો જમાવવા પીએમ મોદીની આગેવાનીમાં તખ્તો ઘડાઈ શકે છે.
ગાંધીનગરમાં FSLનાં કાર્યક્રમ બાદ મહત્વપૂર્ણ બેઠકમાં તેઓ હાજરી આપશે. બાદમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટના પ્રમુખ કેશુભાઈ પટેલ અને એલ.કે.અડવાણી પણ હાજર રહેશે. પીએમ મોદી વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ આવાસનું લોકાર્પણ કરશે. જ્યારે જૂનાગઢમાં પશુપાલન હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અને ગાંધીનગરમાં એફએસએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ ત્રણેય કાર્યકમની અગલ અલગ અધિકારીઓ અને પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ ભારે વરસાદને કારણે પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ થયો હતો.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Jokes તમને કેટલી પત્નીઓ છે?

ગુજરાતી જોક્સ- તફાવત જણાવો

Cannes માંં આલિયા ભટ્ટનો જાદુ, લોકોને ઐશ્વર્યા રાયની આવી યાદ, સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

ગુજરાતી જોક્સ - દારૂડિયા ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - ફેસબુક પર લંચ

આગળનો લેખ
Show comments