Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુંદરકાંડથી બનશે બધા બગડેલા કામ, પણ અજમાવો પાઠનો સાચું ઉપાય

મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (00:21 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે જો કોઈ સૌથી સટીક ઉપાય છે તો તે છે હનુમાનચાલીસા અને સુંદરકાડનો પાઠ
 
આ બેમાંથી કોઈ પણ એક ઉપાય શ્રદ્દાપૂર્વક કરતા પર બજરંગબળી તેમના ભક્તિથી પ્રસન્ન થઈને તેમના બધા બગડેલા કામ બનાવી નાખે છે. 
 
તેમાં ખાસ રૂપથી હનુમાનજીના વિજયનો ગાન કરાયું છે કે વાંચનારમાં આત્નવિશ્વાસનો સંચાર કરે છે. 
 
સુંદરકાંડ પાઠની સૌથી ખાસ વાત આ છે કે તેનાથી ન માત્ર હનુમાનજીનો આશીર્વાદ મળે છે પણ ભગવાન શ્રીરામનો પણ આશીર્વાદ પણ મળે છે. 
 
કુંડળીના બગડેલા ગ્રહોને સંચાર આપે છે સુંદરકાંડનો પાઠ 
 
જ્યોતિષીય મુજબ ખાસ રૂપથી શનિવારે અને મંગળવારે સુંદરકાંડનો પાઠ કરનારાને બધા સંકટથી છુટકારો મળે છે અને ખૂબ સારા પરિણામ સામે આવે છે. 
તે સસ્વર પાઠથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ અને ભૂત વગેરે પણ ઘરથી દૂર જાય છે.  
 
તે સિવાય જો જન્મકુંડળી કે ગોચરમાં શનિ, રાહુ કેતૂ કે બીજા કોઈ દુષ્ટ ગ્રહ ખરાબ અસર આપી રહ્યું છે તો તે પણ ટળી જાય છે. 
 
શનિની સાઢેસાતી અને ઢૈય્યામાં તેનો પ્રયોગ ખાસ રૂપથી કરાય છે. 
 
                                                                                 આ રીતે કરવું સુંદરકાંડ પાઠ 

સુંદરકાંડ પાઠ વિશેષ રૂપથી શનિવારે અને મંગળવારે કરતાં બધા સંકટનો નાશ કરે છે. 
પણ જરૂર પડતાં તેનો પાઠ ક્યારે પણ કરી શકાય છે. 
 
પાઠ કરતાં પહેલા ભક્તને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવું જોઈએ. 
 
ત્યારબાદ પાસના કોઈ મંદિરમાં કે ઘર પર એક પાટલા પર હનુમાનજીની ફોટાને વિરાજિત કરી પોતે એક આસન પર બેસવું. 
 
ત્યારબાદ જ બજરંગબળીની  ફોટાને ફૂલમાળા, ચાંદલો, ચંદન વગેરે પૂજન સામગ્રી અર્પણ કરવી જોઈએ. 
 
જો કોઈ હનુમાન મંદિરમાં કરી રહ્યા છો તો તેમની હનુમાન મૂર્તિને ચમેલીના તેલ મિશ્રિત સિંદૂર પણ ચઢાવી શકો છો.
 
દેશી ઘીનો દીપક પ્રગટાવવું જોઈએ. તે પછી ભગવાન શ્રીગણેશ, શંકર પાર્વતી, ભગવાન રામ-સીતા લક્ષ્મન અને હનુમાનજીને પ્રણામ કરી તમારા ગુરૂદેવ અને પિતૃદેવને યાદ કરવું. 
 
પછી હનુમાનજીને મનમાં ધ્યાન કરતા સુંદરકાંડનો પાઠ શરૂ કરવું. 
 
પૂર્ણ થતા પર હનુમાનજીની આરતી કરવી, પ્રસાદ ચઢાવવું અને ત્યાં ઉપસ્થિત બધા લોકોને વહેંચવું 

વધુ જુઓ..

ડુંગળી કાપતી વખતે શું તમારી આંખોમાંથી પણ આંસૂ વહે છે તો અપનાવો કેટલીક હેક્સ, સહેલાઈથી કાપી શકશો, બિલકુલ પણ નહિ થાય પરેશાની

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

વધુ જુઓ..

Aaj nu panchang - આજનુ પંચાગ -26 એપ્રિલ

Mohini Ekadashi 2026: 27 એપ્રિલના રોજ રાખવામાં આવશે મોહિની એકાદશી વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પારણનો સમય

સીતા નવમી - રામદરબારની કરો પૂજા, સૌભાગ્ય અને વૈવાહિક જીવનમાં સુખ-શાંતિની કામનાથી કરવામાં આવે છે આ વ્રત

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments