Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sawan 2024: શ્રાવણ શરૂ થતા પહેલા તમારા ઘરમાં કરો આ ફેરફારો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો

Updated: શુક્રવાર, 12 જુલાઈ 2024 (00:00 IST)
Sawan 2024:  શ્રાવણ મહિનો આ વર્ષે 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે, જે 2 સપ્ટેમ્બરે પૂનમ સાથે સમાપ્ત થાય છે. ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં, શિવભક્તો ઉપવાસ કરે છે અને શિવની પૂજા કરે છે. આ વર્ષે સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તેથી, પ્રથમ શ્રાવણ સોમવાર, 5 ઓગસ્ટ 2024 ના રોજ જ આવશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીશું કે સાવન શરૂ થતાં પહેલા તમારે તમારા ઘરમાં કયા ફેરફારો કરવા જોઈએ. આ ફેરફારો તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. જો તમે આ ફેરફારો નહીં કરો તો તમે શિવના આશીર્વાદથી વંચિત રહી શકો છો
 
શ્રાવણ શરૂ થતા પહેલા તમારા ઘરમાં કરો આ ફેરફારો 
 
ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે શ્રાવણ પહેલા ત્રિશૂળ લાવવું જોઈએ. આ ત્રિશૂળ ચાંદી અથવા તાંબાનું બનેલું હોવું જોઈએ. તમે આ ત્રિશૂળને ઘરના હોલમાં સ્થાપિત કરો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 
 
શ્રાવણ પહેલા કરો સફાઈ 
 
શ્રાવણ શરૂ થતાં પહેલાં તમારે આખું ઘર સાફ કરવું જોઈએ. આ ઉપરાંત પૂજા સ્થળની પણ સફાઈ કરવી જોઈએ અને ગંગાજળનો છંટકાવ કર્યા પછી શિવ-પાર્વતીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું જોઈએ.
 
તૂટેલી મૂર્તિઓને પાણીમાં તરતી મુકો 
 
કોઈ પણ ભગવાનની તુટેલી મૂર્તિ ઘરમાં રાખવી સારી નથી માનવામાં આવતી, આથી સાવન શરૂ થતા પહેલા તમારે તુટેલી મૂર્તિઓને નદીમાં તરતા મુકવી જોઈએ. જો નજીકમાં કોઈ નદી નથી, તો તમે આ મૂર્તિઓને મંદિરમાં અથવા પીપળના ઝાડ નીચે રાખી શકો છો.
 
તામસિક પદાર્થોને ઘરમાંથી કરો દૂર  
જો તમારા ઘરમાં દારૂ અને સિગારેટ જેવા ઝેરી પદાર્થો હોય તો તમારે તેને ઘરમાંથી કાઢી નાખવાજોઈએ. આ સાથે, ડુંગળી અને લસણનું સેવન પણ શ્રાવણમાં પ્રતિબંધિત છે, તેથી શ્રાવણની શરૂઆત પહેલા તેનું સેવન કરો. શ્રાવણ દરમિયાન તમારે આ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
 
જમીન પર સૂવાની  કરો વ્યવસ્થા
જો તમારે સાવન મહિનામાં ભગવાન શિવના રંગમાં રંગીન થવું હોય તો તમારે જમીન પર સૂવું જોઈએ. જેમ ભગવાન શિવ સુવિધા વિનાનું જીવન જીવે છે, તમારે પણ એવું જ જીવન જીવવું જોઈએ. આમ કરવાથી તમને ન માત્ર શિવના આશીર્વાદ મળે છે, પરંતુ તમે તમારા સ્વાસ્થ્યમાં પણ સારા બદલાવ જોશો.
 
ઘરમાં ધ્યાન માટે અલગ જગ્યા બનાવો
શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું ધ્યાન કરવું અને તેમના મંત્રોનો જાપ કરવો ખૂબ જ શુભ છે. તેથી, તમારે શ્રાવણ દરમિયાન તમારા ઘરમાં એવી જગ્યા બનાવવી જોઈએ જ્યાં લોકોની અવરજવર વધુ ન હોય અને જ્યાં અન્ય રૂમની સરખામણીમાં વધુ શાંતિ હોય. અહીં બેસીને તમારે ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ.

વધુ જુઓ..

1 કિલો ફૈટ બર્ન કરવા માટે રોજ કેટલુ ચાલવુ જોઈએ ? એક્સપર્ટે જણાવ્યુ વૉક કરવુ કેમ છે લાભકારી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

મોળાકત ની વાનગીઓ

ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત

ગૌરી વ્રત વિશે નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

આગળનો લેખ
Show comments