Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં

Updated: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (08:38 IST)
જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી.
ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં.
તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં ટેલિફોન અને મોબાઇલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
આ આગેવાનોએ જણાવ્યું કે તેમની ગૃહ મંત્રી સાથેની બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી. તેમણે સુરક્ષા, વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. અમિત શાહે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ કાશ્મીરને એવો પ્રદેશ બનાવવા માગે છે જ્યાં એક પણ વ્યક્તિને સુરક્ષાની જરૂર પડે નહીં.
 

વધુ જુઓ..

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટ છે,

100 કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી પર

ગુજરાતી જોક્સ - ફરાળી છે

આગળનો લેખ
Show comments