Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવનરેખા - લાંબી અને ઘટ્ટ છે આ રેખા તો આયુ લાંબુ રહેશે, જાણો શુ કહે છે તમારી લાઈફલાઈન

Updated: મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (11:00 IST)
હાથમાં જીવનરેખાનુ ખૂબ મહત્વ છે. આ રેખા વ્યક્તિના જીવનનો અરીસો હોય છે. વ્યક્તિની વય કેટલી હશે તેનુ જીવન કેવી રીતે વ્યતીત થશે આ બધુ જીવનરેખા દ્વારા જાણી શકાય છે. જીવનરેખા પર મળનારા ચિહ્ન, રેખાની બનાવટ અને સ્થિતિ વ્યક્તિના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જાણો શુ કહે છે વ્યક્તિની જીવન રેખા 
 
 
- લાંબી અને ઊંડી/ઘટ્ટ જીવનરેખાનો મતલબ છે જાતક દીર્ઘાયુ રહેશે. 
- જો જીવન રેખા ખૂબ વધુ છિન્ન-ભિન્ન છે તો આ કોઈ દુર્ઘટના કે અચાનક બીમાર થવાના સંકેત છે. 
- જો તમારી રેખા ઘટ્ટ લાલ રંગની છે તો આવા વ્યક્તિ વધુ ગુસ્સાવાળા હશે અને જો તેમનો મંગળ પર્વત ઉન્નત હોય તો આવા વ્યક્તિ ગુસ્સામાં કોઈની હત્યા પણ કરી શકે છે. 
- જીવનરેખાથી કાઢીને  કોઈ શાખા બુધ પર્વતની તરફ જાય તો એવી વ્યક્તિ વેપારી હોય છે અને વેપારના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. 
- જો તમારી જીવન રેખા એકદમ પાતળી છે તો આ તમારા ખરાબ સ્વાસ્થ્ય અને અચાનક દુર્ઘટના તરફ ઈશારો કરે છે. 
- નાની જીવનરેખાનો મતલબ છે ઓછી આયુ, પણ જો જીવનરેખા નાની છે અને ભાગ્ય અને હ્રદય રેખા મજબૂત છે તો પછી તમારી આયુ ઓછી નહી થાય. 
- જીવનરેખા પર જેટલીવાર ક્રોસ થશે એ જાતકને જીવનમાં એટલી જ વાર શારીરિક પરેશાનીમાંથી પસાર થવુ પડી શકે છે. 
- જો જીવનરેખાને ઝીણી ઝીણી રેખાઓ કાપે છે તો એ જાતકને જરૂર પારિવારિક જીવનમાં કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. 
- જો લાઈફ લાઈન પર બિન્દુ હોય કે કાપેલી રેખા પણ હોય તો એ જાતકની મૃત્યુ હાર્ટૅએટેકથી થઈ શકે છે. 
- જીવનરેખા પર ગોળ સર્કલ, તારાના નિશાન, કાળા તલ વગેરેના નિશાન હોય તો આ સારુ નથી. આવુ નિશાન કોઈ દુર્ઘટનાનો સંકેત છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

શેરબજારમાં તેજીનો સિલસિલો યથાવત! સેન્સેક્સ 166 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ની નજીક; આ દિગ્ગજ શેર બન્યા મોટા ગેનર

મુંબઈના પરેલમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ તણાવ, ઈદ-એ-મિલાદના જુલૂસ દરમિયાન થયો વિવાદ

Nepal Flood Live Updates - નેપાળમાં પૂરથી 160 થી વધુ લોકોના મોત, 750 થી વધુ ગુમ; હેલ્પલાઇન નંબર જાહેર

ફ્લેશ ફલડ શું હોય છે ? કેમ પર્વતો પરથી અચાનક આવે છે વિનાશનું પૂર

નેપાળમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 105 ભારતીય પર્યટક થયા ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર

આગળનો લેખ
Show comments