Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (14.06.2018)

ગુરુવાર, 14 જૂન 2018 (00:01 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 14  તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો જન્મ 14 તારીખે થયો છે. 14નો અંક પરસ્પર મળીને 5 થાય છે 5નો અંક બુધ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે. આવા વ્યક્તિ મોટાભાગે મિતભાષી હોય છે. કવિ. કલાકાર અને અનેક વિદ્યાઓના માહિતગાર હોય છે. તમારામાં ગઝબની આકર્ષણ શક્તિ હોય છે.  તમારી અંદર લોકોને સહજતાથી પોતાના બનાવી લેવાનો વિશેષ ગુણ હોય છે.  અજાણ્યા વ્યક્તિની મદદ માટે પણ તમે હંમેશા તૈયાર રહો છો. તમારામાં કોઈપણ પ્રકારનુ પરિવર્તન કરવુ મુશ્કેલ છે. અર્થાત જો તમે સારા સ્વભાવના વ્યક્તિ છો તો તમને કોઈપણ ખરાબ સંગત બગાડી નથી શકતી. જો તમે ખરાબ આચરણના છો તો દુનિયાની કોઈપણ તાકત તમને સુધારી નથી શકતી. પણ સામાન્ય રીતે 14 તારીખના રોજ જન્મેલા વ્યક્તિ સૌમ્ય સ્વભાવના જ હોય છે. 
 
શુભ તારીખ  : 1,  5,  7,  14,  23
 
શુભ અંક  : 1,  2,  3,   5,   9,  32,  41,  50   
 
શુભ વર્ષ  : 2030,  2032,  2034,  2050,  2059,  2052   
 
ઈષ્ટદેવ  : દેવી મહાલક્ષ્મી, ગણેશજી મા અમ્બે    
 
શુભ રંગ : લીલો, ગુલાબી, જાંબડિયો ક્રીમ 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
મૂલાંક 5નો સ્વમી બુધ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક પણ 5 છે. આ વર્ષ તમારે માટે સફળતાઓ ભરેલો રહેશે. અત્યાર સુધી આવી રહેલ મુશ્કેલીઓ પણ આ વર્ષે દૂર થતી જોવા મળશે. પારિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષથી ખુશખબર આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ વર્ષ નિશ્ચિત સફળતાઓ ભર્યુ રહેશે. દાંમ્પતય જીવનમાં મધુર વાતાવરણ રહેશે. અવિવાહત પણ વિવાહના બંધનમાં બંધાવવા તૈયાર રહે. વેપાર-વ્યવસાયથી પ્રસન્નાતા રહેશે. 
 
મૂલાંક 5ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ.. 
 
- જવાહરલાલ નેહરુ 
- બાબા સાહેબ આંબેડકર 
- સંજય ગાંધી 
- સુભાષચંદ્ર બોસ 
- શેક્સપિયર 
- અભિષેક બચ્ચન 
- રમેશ સિપી 
- ભાગ્યશ્રી  

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રામ મંદિર દાન ચોરી કેસમાં મોટી કાર્યવાહી: 8 આરોપીઓના ઘરો પર ઝડપી દરોડા, ₹80 લાખ રોકડા મળી આવ્યા

પાકિસ્તાનના કરાચીમાં મોટો આતંકવાદી હુમલો: સિંધ રેન્જર્સના મુખ્યાલય પર દરોડા, 6 આતંકવાદીઓ માર્યા ગયા, 4 સૈનિકો માર્યા ગયા

Jagannath Rath Yatra 2026- જ્યેષ્ઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથ 108 ઘડાના પાણીમાં સ્નાન કરશે, દર્શન 15 દિવસ સુધી બંધ રહેશે.

મેસ્સીએ વધુ એક વિશ્વ રેકોર્ડ તોડીને સતત સાત વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બન્યો.

"નાલંદા યુનિવર્સિટીએ શાસ્ત્રાર્થની પરંપરાને પુનર્જીવિત કરી છે," પીએમ મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં કહ્યું.

આગળનો લેખ
Show comments